SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ નિરૂપાયેલા જોઈએ છીએ. પણ શાસ્ત્રયોગનું અહીં જે અર્થમાં નિરૂપણ થયું છે તે અહીં જ જોવા મળે છે. યોગદૃષ્ટિ સમુચ્ચયમાં “શાસ્ત્રયોગ એક સાધકની ભૂમિકા સૂચવનાર શબ્દ છે. જ્યારે અહીં શાસ્ત્ર શબ્દ તેના યૌગિક “શાશનનું ટાળશોશ યુ શસ્ત્રનિદ્યતે” એ અર્થમાં વિસ્તાર પામી ને સુજ્ઞ અભ્યાસી પાસે રજૂ થાય છે. સુવર્ણની જેમ શાસ્ત્રની પણ ત્રણ રીતે પરીક્ષા કરવાનું બતાવીને કયાં શાસ્ત્રો માનવાલાયક છે, આત્માનું કલ્યાણ કેવા શાસ્ત્રો માનવાથી થાય, તે બહુ ઉચિત રીતે નિરૂપ્યું છે. સુવર્ણ - સોનાની કષશુદ્ધિ, છેદશુદ્ધિ, અને તાપશુદ્ધિ જોવામાં આવે છે અને તે ઉત્તરોત્તર મહત્ત્વની ગણાય છે. તેવી રીતે શાસ્ત્રની પણ કષ, છેદ અને તાપ એ ત્રણ પ્રકારે શુદ્ધિ કરવાની કહી છે. (૧) કષશુદ્ધિ એટલે શું ? જે શાસ્ત્રમાં બતાવેલા બધા વિધિનિષેધોનો હેતુ એક જ હોય એટલે કે ધ્યાન, સ્વાધ્યાય, તપ, ક્રિયા જે કાંઈનું વિધાન કર્યું હોય કે હિંસા, મૃષા વગેરેનો નિષેધ કર્યો હોય, તે સઘળા વિધિનિષેધો માત્ર એક જ હેતુ મોક્ષપ્રાપ્તિ અર્થે નિરૂપ્યા હોય ૨૦/તે શાસ્ત્રને કષશુદ્ધિવાળું કહેવાય છે. (૨) છેદશુદ્ધિ એટલે શું? જે શાસ્ત્રોમાં વિધિ અને નિષેધ આત્મસુખના યોગક્ષેમકર હોય, એટલે કે જે આત્મસુખ આવિર્ભાવ નથી પામ્યું તે સુખ પ્રકટ કરી આપે અને જે પ્રગટ થયું છે તેને સ્થિર રાખે તેવા વિધિનિષેધો જે શાસ્ત્રમાં છે તે શાસ્ત્ર છેદશુદ્ધિવાળું કહેવાય. (૩) તાપશુદ્ધિ એટલે શું? જે શાસ્ત્ર સુવર્ણને સર્વનયાશ્રિત વિચારના પ્રબળ અગ્નિથી પણ તાત્પર્યમાં લગીર પણ કાળાશ નથી લાગતી, તે શાસ્ત્ર તાપશુદ્ધિવાળું કહેવાય. આ ત્રણે શુદ્ધિના અન્વય અને વ્યતિરેક બન્ને લક્ષણો બતાવીને સાપેક્ષવાદ સ્યાદ્વાદને સુંદર તર્ક-પ્રતિતર્કથી સમજાવે છે. સ્યાદ્વાદ એ - એવી અકાઢ્ય વિચારસરણિ છે કે બધી જ દાર્શનિક પરંપરાએ તેને શ્રુતજલધિ પ્રવેરો નાવા
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy