SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) ઈ.સ. ૧૯૧૫માં આ ગ્રંથ પૂ.પં.શ્રી ગંભીરવિજયજી મહારાજની ટીકા સહિત જૈન ધર્મ પ્રસારક સભા તરફથી પ્રતાકારે પ્રગટ થયો છે. (૩) ઈ. સ. ૧૯૧૬માં આ ગ્રંથ મૂળ ટીકા અને ગુજરાતી અનુવાદ સહિત નરોત્તમ ભાણજીએ (ભાવનગર) પ્રસિદ્ધ કર્યો છે. (૪) વિ. સ. ૨૦૨૩માં એક ભાવાનુવાદ મુનિ શ્રી ચન્દ્રશેખરવિજયજીએ પ્રસિદ્ધ કર્યો છે. તેમાં લેખનની શૈલી નવતર રાખી છે. છતાં તે ગ્રંથ પણ હાલ દુપ્રાપ્ય છે. નવી આવૃત્તિની જરૂર છે. (હવે બીજી આવૃત્તિ પ્રકાશિત થઈ છે.) (૫) પૂજ્ય આચાર્ય શ્રી ધર્મધુરન્ધરસૂરિજી મહારાજે આ ગ્રંથના એકવીસ અધિકારના અર્થને અનુસરતાં એકવીસ અષ્ટકો રચ્યાં છે. એ ગ્રંથનું નામ “આધ્યાત્મસારાનુગમ' રાખ્યું છે. નાનો પણ નોંધપાત્ર ગ્રંથ સર્જાયો છે. વર્તમાન શ્રમણસંઘમાં નવીન સંસ્કૃત ભાષાનું સાહિત્યસર્જન વિરલ - અતિ વિરલ બનતું જાય છે. તે સંયોગોમાં આ નવી કૃતિ માણવાનું બહુ ગમે તેવું છે. આ ગ્રંથ સત્વર પ્રકાશિત થાય તે ઇચ્છનીય છે. (આ ગ્રન્થ પણ નન્દન વનસ્પતિમાં પ્રકાશિત થયો છે.) (૬) આ ગ્રંથના ચોથા ભવસ્વરૂપ ચિંતાધિકારનો યુક્ત પદ્યાનુવાદ પ્રો. જયેન્દ્રભાઈ મા. શાહે કર્યો છે. અને તે વિ.સં. ૨૦૨૫માં મગનલાલ વાડીલાલ તરફથી પ્રકાશિત થયો છે. આવા આવા પ્રયત્નો અધિકારી અને પ્રતિભાશીલ વિદ્વાનો દ્વારા થાય તો આ ગ્રંથનું ખેડાણ અને પ્રસરણ વિસ્તૃત બને તે બહુ ઇચ્છવા જોગ છે. પૂજ્યપાદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે આ અધ્યાત્મસાર ગ્રંથ લખીને આપણાં સહુ ઉપર મહા ઉપકાર કર્યો છે. - प्रथम प्रबन्धः अधिकार - ४. अधि. नाम पत्र वृत्त श्रीक संख्या १ माहात्म्याधिकार १-४ अनुष्टुप ૨૪ २ अध्यात्मस्वरूपाधिकार ५-८ अनुष्टुप २९ અધ્યાત્મસાર
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy