SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૬ # ૧. મિત્ર ૨. તારા તૃણ યમ ગોમય નિયમ ૩. બલા કાઠ ૪. દીપ્રા દીપ ૫. સ્થિરા રત્ન ૬. કાંતા ૭. પ્રભા ખેદ ઉદવેગ આસન ભ્રમ પ્રાણાયામ ઉત્થાન પ્રત્યાહાર ક્ષેપ તાર ધારણા સૂર્ય ધ્યાન ૮. પરા ચન્દ્ર સમાધિ ૯. દૃષ્ટિ બોધ યમાદિ જિજ્ઞા આસંગ મીમાંસા અન્યમુદ પ્રતિપત્તિ ३४ પ્રવૃત્તિ દોષત્યાગ ગુણ પહેલી ચોથી સુધીની મિત્રા વગેરે ચાર દૃષ્ટિ મિથ્યાત્વીને હોય અને પછીની પંચમીથી આઠમી સુધીની ચાર સમ્યકત્વવંતને હોય છે. મિથ્યાત્વ હોવા છતાં જો તે મંદ હોય અને મિથ્યાત્વી ગણાતો જીવ જો સ્વભાવથી જ ભદ્રિક હોય અર્થાત્ કોઈને પણ ઉપતાપ થાય તેવું બોલનાર, વિચારનાર કે કરનાર ન હોય, ક્રોધથી પ્રાયઃ રહિત હોય, વિનયત્રંત હોય, અર્થાત્ ઉદ્ધત ન હોય, મૃદુ હોય એટલે કે દંભરહિત હોય, ઉત્તમ હોય, એટલે કે સંતોષવાળો હોય, આવો મિથ્યાદૃષ્ટિ પણ નજીકના ભવિષ્યમાં અર્થાત્ અહીંથી પછીના ભવમાં નવમે વર્ષે કેવળજ્ઞાન પામીને મોક્ષે જશે. આ ૨૦ મી બત્રીશીમાં છેલ્લે છેલ્લે જે મિત્રાદિ આઠ દૃષ્ટિનો નામ માત્રથી જે ઉલ્લેખ કર્યો, તે મિત્રાદિ દૃષ્ટિનું નિરૂપણ કાંઈક વિસ્તા૨થી ૨૧મી બત્રીશીમાં કરે છે. જો કે આ જ વિષય, મૂળભૂત રીતે શ્રી હરિભદ્રસૂરિજી રચિત યોગદૃષ્ટિ સમુચ્ચયમાં છે જ અને તે ગ્રંથના જ શ્લોકો અહીં ઉદ્ભુત ક૨વામાં આવ્યા છે. મિત્રા દૃષ્ટિમાં બોધ તૃણુના અગ્નિ જેવો હોય છે. યોગનું અંગ યમ હોય છે અને અખેદ નામનો ગુણ પ્રકટે છે. અહીં યમ એટલે પાંચવ્રતો : અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મવ્રત, અપરિગ્રહ ! તેમાં અહિંસાનું લક્ષણ પ્રાણીને શ્રુતજલધિ પ્રવેશે નાવા
SR No.023280
Book TitleShrut Jaldhi Praveshe Nava
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy