SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૦ ] આહતધર્મપ્રકાશ પ્રાચીન હસ્તલિખિત જૈન શાસ્ત્રોમાં તે પહેલેથી જ આ બધું જણાવવામાં આવ્યું છે. જગદીશચંદ્ર બઝે વર્ષો પહેલાં જર્મનીમાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે-મેં વનસ્પતિમાં જીવની સિદ્ધિ કરીને સહુ સમક્ષ આ વાતને રજૂ કરી છે, તે કાંઈ નવી નથી. આપણા પ્રાચીન મહાપુરુષે ખાસ કરીને જૈનાચાર્યો જે કહી ગયા છે, તે જ હું કહું છું અને એના પૂરાવા તરીકે તેમણે શ્રીઆચારાંગસૂત્ર અને શ્રીજીવાભિગમસૂત્ર સાક્ષીરૂપે આપ્યાં હતાં. પાણીમાં જીવ, વનસ્પતિમાં જીવ, શબ્દશક્તિ, રેડીયે, એટમોમ્બ વગેરે અનેક બાબતે જે શાસ્ત્રમાં હતી અને છે, તે આજે તેમણે વિજ્ઞાન દ્વારા બહાર મૂકી છે. આજનું વિજ્ઞાન અધૂરું છે, અપૂર્ણ છે; માટે જ નવી નવી શોધખોળ ચાલુ છે. વિજ્ઞાનીઓને વારંવાર પિતાના સિદ્ધાંતનું પરિવર્તન કરવું પડે છે. આવા અપૂર્ણ અને અધૂરા માણસ ઉપર પૂર્ણ વિશ્વાસ રાખે, એ આપણી કેટલી મોટી ભૂલ છે? . કેપ્ટન સ્કર્સબીએ સૂફમયંત્ર દ્વારા પાણીનાં એક બિંદુમાં ૩૬૪૫૦ હાલતા જ હોવાનું જણાવ્યું છે, ત્યારે આપણું જ્ઞાનીઓ કહે છે કે-એક બિંદુમાં હાલતાચાલતા જીની સંખ્યા ઉપરાંત સ્થાવર છે તે અસંખ્યાત છે, પણ તે અલ્પજ્ઞાનીથી શી રીતે જાણી શકાય? આધુનિક ડકટરે પણ એક ચણ જેટલી જગ્યામાં
SR No.023279
Book TitleArhat Dharm Prakash
Original Sutra AuthorN/A
AuthorKirtivijay
PublisherAatmkamallabdhisuri Jain Gyanmandir
Publication Year1959
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy