SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ અને `નાયક નિઃશંક બનવું એટલે દઢ વિશ્વાસ રાખવેા. દૃઢ વિશ્વાસમાં અવિશ્વાસની જરા પણ ગધ હૈ।તી નથી. દૃઢ વિશ્વાસ એ સભ્યકૃત્વનું પ્રધાન અંગ છે. ધર્માંમાં દૃઢ વિશ્વાસને સ્થાન ન હેાય તા ધર્મનું આચરણ પણ થવું મુશ્કેલ થઈ જાય. દૃઢ વિશ્વાસ એ ધમ મહેલના પાયા છે. જો દૃઢ વિશ્વાસના પાયા ઢીલા હાય તા શંકા, કુતર્ક આદિ વાવાઝોડાથી ધર્મ'મહેલ ખળભળી ઊઠે. ધર્મીમાં જે દૃઢ વિશ્વાસ હાય તે અંધશ્રદ્ધામાંથી પેદા થયેલા ન હેાવા જોઇએ. શ્રદ્ધા અને તની કસાટીએ ચડેલા દઢ વિશ્વાસ હોય તે જ ધર્મ શ્રદ્ધા મજબૂત રહે. એટલા માટે દૃઢ વિશ્વાસ શ્રદ્ધાશુદ્ધ અને તર્કશુદ્ધ હાવા જોઈ એ. ધશ્રદ્ધાના જન્મ સાચી જીજ્ઞાસામુદ્ધિમાંથી પેદા થાય છે. એટલે જીજ્ઞાસામુહિઁદ્વારા ધમ શ્રદ્ધા દૃઢ કરવી જોઈએ. જે લેાકાને ધર્મ વિષે શંકા કરવાથી શાદેાષના ભય રહે છે તે ભય અસ્થાને છે. જે કેવળ વિતંડાવાદ વધારવા માટે કે પોતાની તર્ક શકિતનું પ્રદર્શન કરવા માટે શકાવમળમાં ગોથાં ખાયા કરે છે તે ધર્મને જરાપણ મર્મ સમજી શકતા નથી. ધર્મ વિષે શકા કરી જે પેાતાની શંકાનું નિવારણ કરે છે તે ધર્મોના મ સમજી અને તે પ્રમાણે ધર્મોચરણ કરી આત્મશુદ્ધિ સાધી શકે છે. સાહિત્યમાં · સશય ” વિષે ભિન્ન ભિન્ન વ્યાખ્યા મળે છે. ક્રાઈ C ૮૪ ઠેકાણે સંશયની એવી વ્યાખ્યા મળે છે કે: संशयमनारुह्य नरो भद्राणि न पश्यति અર્થાત્ઃ – જ્યાંસુધી મનુષ્ય શંકા કરતો નથી ત્યાંસુધી તે ક્લ્યાણમા જોઈ શકતા નથી. જ્યારે બીજે સ્થળે ‘સ`શય ' ની એવી વ્યાખ્યા મળે છે કેઃ— : સરાયાત્મા વિનતિ’ર " અર્થાત્ઃ—સંશય કરનારના જ્ઞાનાદિ આત્મા નષ્ટ થઈ જાય છે. " " ૧ હિતાપદેશ. ૨ ભગવદ્ગીતા. ૩ જૈનશાસ્ત્રમાં આત્મા આઠ પ્રકારને છેઃ (૧) દ્રવ્યાત્મા,
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy