SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘધર્મ બેટી રીતે બહેકાવી નેચરભૂમિ ખાલી કરાવવામાં બાધા ઊભી કરે અને એ રીતે તે સ્વાર્થી મનુષ્ય સમસ્ત પ્રજાસંઘની હિતબુદ્ધિને પાર ન પડવા દેવા માટે કારસ્થાને રચે છે તે સ્વાર્થી મનુષ્યને સંઘધર્મને નાશક સમજવો જોઈએ. પ્રજાસંધનું હિત ધ્યાનમાં ન રાખતાં કેવળ સ્વાર્થવૃત્તિને તૃપ્ત કરવા માટે રાજાને પક્ષ લે અને દુઃખોથી પીડાયેલા હજારો ગરીબ ભાઈઓ ઉપર દાઝયા ઉપર ડામ દે એ એક સાધારણ ગૃહસ્થ માટે પણ અનુચિત છે, તો પછી બાર વ્રતધારી શ્રાવક આવું અનુચિત કાર્ય કેવી રીતે કરી શકે ! કેટલાક સજ્જન સંધધર્મના સંગઠનને તેમજ આ સંધધર્મની રક્ષા માટે કરવામાં આવતા કાર્યોને એકાન્તપાપ કહે છે; પણ જે સંધધર્મના પાલનથી માનવસમાજ નીચધર્મ છોડે છે અને જે પાપકર્મોને છોડવાથી સંસારનું ઉત્થાન થાય છે, અને સાથે સાથે સૂત્ર-ચારિત્રધર્મના પાલન માટે ક્ષેત્ર તૈયાર થાય છે, તે શું તે સંધધર્મને એકાન્તપાપ કહેવું ઉચિત છે? નહિ. સંધધર્મના પાલનમાં આરંભસમારંભ અવશ્ય થાય છે, અને તેને આરંભસમારંભ માનો પણ જોઈએ; પણ આવા આરંભસમારંભે પણ વિશેષ પ્રકારના હોય છે. જેવી રીતે કઈ મનુષ્ય પોતાની પુત્રીનું લગ્ન કરે અને બીજે પિતાની માતાનું લગ્ન કરે, આ બંનેમાં લગ્નને ઠાઠમાઠ સરખે છે, પણ શું આ બન્ને લગ્ન બરાબર કહી શકાય ? કદાપિ નહિ. ખર્ચ તે બને વિવાહમાં થાય છે, પણ શું આ બન્નેનું ખર્ચ બરાબર છે? નહિ. પણ કઈ મનુષ્ય આ બન્ને લગ્નને આરંભદષ્ટિથી જ સરખા કહે તો ? તે અસત્ય કહે છે, આ જ પ્રમાણે આરંભસમારંભના વિષયમાં સમજવું જોઈએ. કેટલાંક કામે એવાં હોય છે કે જે કામ કરવાથી ઉન્નતિ થાય છે અને સાથેસાથે અનેક મહાન પાપે પ્રતિકાર પણ થાય છે અને
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy