SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ કુળધર્મ લેવાને ઉપદેશ આપે છે, અને બીજે લોકોત્તર કુળધર્મ છે કે જે કુળધર્મ લેકજીવનને સાર્થક બનાવવાને ઉપદેશ આપી દેશમાર્ગ ગ્રહણ કરવાની શિક્ષાદીક્ષા આપે છે. ' - લૌકિક કુળધર્મ અને લેકોત્તર કુળધર્મની શિક્ષાદીક્ષા દેવાની પ્રવૃતિ ભિન્નભિન્ન હોવા છતાં બન્ને કુળધર્મોનો આદર્શ, તે માનવસમાજમાં શાશ્વત સુખશાન્તિ સ્થાપવાને છે. લૌકિક કુળધર્મ એ આદર્શને પહોંચવા માટે શુભ પ્રવૃત્તિમાર્ગ બતાવે છે, જ્યારે લેકોત્તર કુળધર્મ શુભ નિવૃત્તિમાર્ગ બતાવે છે. ' કુળધર્મનાં શાશ્વત સુખશાતિ પ્રાપ્ત કરવાના મૂળ આદર્શને પહોંચવા માટે નિવૃત્તિમાર્ગ પ્રવૃત્તિમાર્ગ કરતાં વધારે સીધે છે પણ આચરણમાં કઠણ છે; જ્યારે પ્રવૃત્તિમાર્ગ આડેઅવળો છે પણ સુગમ છે. સાધારણ મનુષ્ય માટે નિવૃત્તિમાર્ગ સરલ નથી. પણ એ માર્ગ તે મુનિમહાત્માઓ કે જેઓ સાંસારિક ભગતૃષ્ણને પિતાની પીઠ પાછળ કરી કેવળ મેક્ષસિદ્ધિ માટે સતત પ્રયત્ન કરે છે, તેમને માટે સરલ છે. બાકી પ્રવૃત્તિના આડાઅવળે માર્ગે જનારા જગતમાં ઘણા છે. તેમાં જે લકે કુળધર્મના ધ્યેય પ્રમાણે (સૂત્ર–ચારિત્ર) સદાચાર અને સદ્વિચારેનું સેવન કરશે તે લેકે ધીરેધીરે નિવૃત્તિમાર્ગદ્વારા મોક્ષમાર્ગે પણ પહોંચી શકશે. લેકેત્તર કુળધર્મના માર્ગે જનારાઓએ પણ લેકર ગુરુની પાઠશાળામાં સમભાવ, સહિષતા, જ્ઞાન, દર્શન, ચારિત્ર, ધર્મારાધન, આદિ પ્રાથમિક બેધપાઠ વિધિપુરસ્સર ભણવા પડે છે. જે ગુરુની પાસે બરાબર શિક્ષાદીક્ષાદ્વારા શિક્ષિતદીક્ષિત થાય છે તે મેક્ષાથી શિષ્ય કેત્તર કુળધર્મનું બરાબર પાલન કરી શકે છે અને આખરે મેક્ષસિદ્ધિને શનૈશનૈઃ સાધી શકે છે. કેટલાક લેકેની એવી માન્યતા છે કે નિવૃત્તિમાર્ગે જઈ સૂત્રચારિત્રનું આરાધન કરવું એ જ ધર્મ છે. બાકી પ્રવૃત્તિમાર્ગ એ
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy