SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ અને ધર્મ નાયક મેં પાખંડની પ્રશંસા કરી હોય તે તે દુષ્કત મિથ્યા થાઓ” એટલું કહેવાથી પાખંડપ્રશંસાના દોષથી રહિત થઈ શકીએ છીએ. પણ આમ ન કહેતાં “પરપાખંડ પ્રશંસા શા માટે કહેવામાં આવ્યું ? પાખંડને એક અર્થ દંભ પણ છે જે બહુ લોકપ્રચલિત છે.' બીજાઓના ધર્મનું ખંડન કરવા માટે પણ લેકે “પાખંડ” શબ્દને પ્રયોગ કરે છે. જેવી રીતે એક બીજા ઉપર કટાક્ષ કરતાં શિવમાર્ગી વૈષ્ણવોને અને વૈષ્ણવે શિવમાર્ગીઓને, તેવી જ રીતે જૈનધર્માનુયાયીઓ અન્ય ધર્માવલમ્બીઓને અને અન્યધર્માવલમ્બીઓ જૈનોને પાખંડી” શબ્દથી સંબોધે છે. પરંતુ પાખંડ શબ્દને બધી જગ્યાએ “દંભ-કપટ' એ અર્થ કરે એ જૈનશાસ્ત્રને સમ્મત નથી. પાપનો નાશ કરનાર વ્રતનું નામ પણ પાખંડ છે. એવો ઉલ્લેખ જૈનશાસ્ત્રમાંથી મળે છે. સ્થાનાંગસૂત્રમાં પાખંડધર્મનો ઉલ્લેખ મળે છે જેમાં વ્રતધાએને ધર્મ પણ પ્રતિપાદિત કરવામાં આવ્યા છે. પ્રશ્નવ્યાકરણસૂત્રના બીજા સંવરકારમાં પણ એવો ઉલ્લેખ મળે છે કેઃ ‘ગોરાપારંપરિદિજં ' અર્થાત–અનેક વ્રતધારીઓએ સ્વીકારેલ વ્રત પાખંડ કહેવાય છે. અને જે વ્યક્તિએ એ વ્રત સ્વીકારેલ હોય તે પાખંડી કહેવાય છે. એ પાખંડીઓ-વ્રતધારીઓ દ્વારા એ સત્યવ્રત ધારણ કરાયેલ હેવાથી એ સત્યવ્રત અને પાuિsvમૃદિત કહેવામાં આવેલ છે. જે પાખંડ શબ્દનો અર્થ કેવળ દંભ અર્થમાં વપરાયેલ હતા તે શ્રમણના વિશેષણ તરીકે પાખંડી શબ્દનો ઉપયોગ ન થાત. શ્રી દશવૈકાલિકસૂત્રમાં “સમણ-શ્રમણુ” શબ્દની વ્યાખ્યા કરતાં
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy