SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ રાધ ૨૩ સૂત્ર–ચારિત્રધમ મકાન અથવા વૃક્ષ સમાન છે. જ્યારે રાષ્ટ્રધ મકાનના પાયા અથવા વૃક્ષની જડ સમાન છે. જે લેાકેા ગ્રામધર્મ, નગરધર્મ અને રાષ્ટ્રધર્મીનુ મૂલેાચ્છેદન કરે છે તે સૂત્ર–ચારિત્રધર્મના પણ આડકતરી રીતે નિષેધ કરી રહ્યા છે. આ પ્રમાણે ચારિત્રધર્મના નામે જે રાષ્ટ્રધર્માદિની અવગણના કરે છે તેઓને શાસ્ત્રધર્મ અને સમયધર્મનું ગહન ચિન્તન—મનન કરવાની જરૂર છે. વગરવિચાયે અથવા તેા શાસ્ત્રાનુ ગહન અધ્યયન કે મનન વિના જે કાઈની સારીખેાટી વાત માની લેવામાં આવે છે તેને આગળ જતાં પશ્ચાત્તાપ કરવાના પ્રસંગ આવે છે. આવા કલ્પનાજન્ય ખાટા વિચારા ધારણ કરવાથી આજ નહિ પણ ભવિષ્યમાં રાષ્ટ્ર, સમાજ અને ધર્માંતે હાનિ પહેાંચવાની પૂરેપૂરી સભાવના છે. એટલા જ માટે અમે કહીએ છીષેક પ્રત્યેક વાતને ખુદ્ધિપૂર્વક વિચારા, ખીજા જે ઠીક કહે તે ધ્યાનપૂર્વક સાંભળેા અને શાસ્ત્રાને તત્ત્વદૃષ્ટિથી દેખા. કેવળ અન્યવિશ્વાસથી કે સંકુચિત મનોવૃત્તિથી પોતાની કલ્પેલી વાતને પકડી રાખેા નહિ અર્થાત્ દુરાગ્રહ કે મતાગ્રહ રાખેખા નહિ. આજે લેાકેા જૈનેની હાંસી કરે છે; એમાં જૈનશાસ્ત્રોના ઢાષ નથી. આપણા જ દોષ છે. શાસ્ત્રો તા સ્પષ્ટ કહે છે કેઃ રાષ્ટ્રધર્મી પણ ધર્માંનું એક પ્રધાન અંગ છે. રાષ્ટ્રધર્મનું મહત્ત્વ સમજનાર અને સમજાવનારાએની સખ્યા ઓછી થઈ જવાથી ‘રાષ્ટ્રધર્મ ’ આચરણમાં લાવવા અત્યારે મુશ્કેલ થઈ પડયો છે. રાષ્ટ્રધર્માંતે વ્યવહારમાં ન લાવવાને કારણે જ લાકા જૈનધર્મને સંકુચિત અને અવ્યાવહારિક ધર્મ કહી વગેાવે છે. રાષ્ટ્રધર્મની વ્યાખ્યા કરતાં પહેલાં ભગવાન ઋષભદેવનું ઉદાહરણ એટલા માટે આપવામાં આવ્યું છે કે તમે લેાકેા - ભગવાન ઋષભદેવે ઉપદેશેલા રાષ્ટ્રધર્મને ખરાખર સમજો.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy