SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ રાષ્ટ્રધ ૧૯ જો પ્રત્યેક માણસ વહાણમાં છેઃ પાડતી વખતે આત્મરક્ષાને જ વિચાર કરવા બેસી જાય અને ખીજા માણસેાની જરા પણ પરવા પણુ કરે નહિ તા તેનું પરિણામ સારુ આવે નહિ. જે લોકેા રાષ્ટ્રની રક્ષા કરવાને બદલે કેવળ વ્યક્તિની જ રક્ષા કરવા ચાહે છે તેઓએ પણ ઉપરની વાત ખાસ ધ્યાનમાં લેવા જેવી છે. આત્મધર્મ ની કેવળ ખાદ્ય વાતા કરનારા લેાકેા સંસારને લગતાં ઘણાં કામેા કરે છે. પણ જ્યારે આચારધર્મના પાલનનેા પ્રશ્ન ઉપસ્થિત થાય છે, ત્યારે તેઓ “ અમારે સંસારની વાતથી શી મતલબ ? ’ એમ કહી આત્મધર્માંના એઠા નીચે છટકી જાય છે, અને એ રીતે રાષ્ટ્રના ઉપકારથી વિમુખ થઈ જાય છે. ભગવાન મહાવીર જેવા મહાપુરુષે પણ કેવળજ્ઞાન થઈ ગયા પછી પણ કેવળ સમષ્ટિના—જગતમાત્રના—લ્યાણુની ઇચ્છાએ ધર્માંપદેશ આપ્યા છે અને મેક્ષના રાજમાર્ગ બતાવ્યા છે. જ્યારે કેવળ—– જ્ઞાનધારીઓની આવી દશા છે ત્યારે સંસારમાં રહેવા છતાં પણ એમ કહેવું કે “ અમારે ગ્રામ, નગર કે રાષ્ટ્ર સાથે શા સબંધ ? એ પામર મનુષ્યાની કેટલી બધી કૃતવ્રતા કહેવાય ! ! 39 પતિતાના ઉદ્ધાર કરવા, ડૂબતા પ્રાણીઓને ઉગારવા એ ધર્મ છે. આ સાધારણ વાત સમજતાં છતાં પણ કેટલાક લેાકેા રાષ્ટ્રરક્ષાનાં કામેાથી હજારા ગાઉ દૂર રહે છે. રાષ્ટ્ર પ્રત્યે આવી ઉદાસીનતા હેાવાનું કારણુ રાષ્ટ્રધર્મીની મહત્તાનું અજ્ઞાન છે. કાઈ પણ આત્મ-સન્માનવાળા માણસ પેાતાનું કે પેાતાની માતાનું અપમાન સહી શકતા નથી. તે પેાતાનું કે પેાતાની માતાનું અપમાન થતું જોઈ કકળી ઊઠે છે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy