SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ અને ધનાયક ૧૨. પેાતાનું બંધારણ ફરી તપાસવા, સુધારવા તે ફેરવવાના અધિકાર પ્રજાને હમેશાં છે. એક પેઢી ભવિષ્યની પેઢીને પાતાના કાયદાઓને વશ ન કરી શકે. ૧૨૬ ૧૭. કાયદા ધડવામાં અને પ્રતિનિધિઓને ચુંટવામાં સંમતિ આપવાના પ્રત્યેક નાગરિકને સમાન અધિકાર છે. ૧૪. અત્યાચારના વિરોધ એ માનવના ખીજા અધિકારામાંથી ફલિત થાય છે. ૧૫. જયારે રાજ્યકર્તા લકાના અધિકારાનું ઉલ્લંધન કરે, ત્યારે લોકાને સારુ અને લેાકાના પ્રત્યેક અંગને સારુ, બળવા એ પરમપવિત્ર અધિકાર અને પરમ અનિવાર્ય ધર્મ છે. [ ‘રાજકથા’માંથી ] રિશિષ્ટ ૪ યુ રાષ્ટ્રધર્મનાં મુખ્ય અગા [ ચીનના રાષ્ટ્રનેતા ડૉ. સન—યાત–સેનના રાષ્ટ્રીય સિદ્ધાન્તા ] રાષ્ટ્ર અને પ્રજા (૧) પ્રજાના રાષ્ટ્રઃ– રાષ્ટ્ર પ્રજાના આધારે જીવિત છે. એટલે રાષ્ટ્ર એ પ્રજાનેા છે. પ્રજાને પાષવી એ રાષ્ટ્રના ધર્મ છે અને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવા પ્રજાના ધર્મ છે. રાષ્ટ્ર અને પ્રજા એ બન્ને અભિન્ન છે. પ્રજાની દુબળતાથી રાષ્ટ્ર દુબળ છે અને પ્રજાની સખળતાથી રાષ્ટ્ર સખળ બને છે. આ એક ઐતિહાસિક સત્ય છે. પ્રજાનો એકતા રકતઐક્ય, ભાષાઐકય, આજીવિકાઐકય, ધર્મીઐકય, ગુણુસ્વભાવઐકય, આદિ–પ્રાકૃતિક શકિત ઉપર આધાર રાખે છે અને પ્રજાની એકતા ઉપર રાષ્ટ્રની એકતા આધાર રાખે છે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy