SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ધર્મ અને ધર્મનાયક “ઘરબાર વગરનાં બાવા જ બને, ભૂખ્યા મરે, કુટુમ્બનું ભરણપોષણ ન કરે' એમ આ આજ્ઞાનો ઉદ્દેશ નથી; પણ લેભપ્રકૃતિ, મેહપ્રકૃતિ, મમત્વભાવ, જડપદાર્થોની પ્રાપ્તિમાં જ આનંદ માનવાપણું– એ ચીજને છોડ અને પ્રામાણિક બુદ્ધિપૂર્વક–ખંતપૂર્વક-વ્યવસ્થાપૂર્વક કરાતા ઉદ્યમથી મળતું દ્રવ્ય તમારી અને તમારા આશ્રિતની આવશ્યકતાઓ પૂરી પાડવામાં, ખર્ચવાની જરૂરીઆત પૂરવામાં-ઉલ્લાસપૂર્વક ખર્ચો. પરિગ્રહ પર જેટલા પ્રમાણમાં મૂછ ઓછી, તેટલા પ્રમાણમાં ચિત્તશાન્તિ–Equilibrium of Mind-વધારે. પરિગ્રહબુદ્ધિને છેડી સંષવૃત્તિ ધારણ કરવી એ ગૃહસ્થનું પરિગ્રહમર્યાદાવત છે. ૬-દિશામદાવ્રત વિસાપરિમાણ–દિશાની મર્યાદા કરવી. અર્થાત-ગૃહસ્થ આશય વગરનું–‘ઉપગ વગરનું–પરમાર્થ વગરનું ભ્રમણ જેમ બને તેમ ઓછું કરવું જોઈએ. ૭–ભેગે પગમર્યાદાવ્રત | મોજ-૩મો પરિમાણ-ભોગ અને ઉપભોગનું પરિમાણ કરવું. અર્થાત–ગૃહસ્થ ભોજનાદિ ભેગેની અને કપડાંલત્તાં આદિ ઉપભોગની લાલસા મર્યાદિત કરવી જોઈએ. ગૃહસ્થ તેમાં સાદા, આત્મસંયમી, નિયમિત અને મિતાહારી બનવું જોઈએ. જે તમારી તંગીઓ જેમ થેડી હશે તેમ તમારી ચિન્તાઓ, ઉપાધિઓ, લાલચે, ઓછી થશે અને વધારે મહત્ત્વની પ્રવૃત્તિ તરફ લક્ષ આપવાને વધારે અવકાશ મળશે. ' દેખાદેખીથી, ખાનદાનીના પેટા ખયાલથી, મેટા દેખાવાની મૂર્ખ લેલુપતાથી, ફાંકડા દેખાવાની લાલસાથી અને ગુણદોષ સમજવાની બુદ્ધિના અભાવથી અનેક બીનજરૂરી તંગીઓ, આવશ્યક્તાઓ
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy