SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (૯) ચારિત્રધર્મ – આચારધર્મ [ત્તિધર્મો] દુનિયાની બીજી પ્રજાઓ કરતાં આપણને જેની અત્યારે વધારે જરૂર છે તે એક જ છે અને તે ચારિત્રની ખીલવણી છે. ज्ञानक्रियाभ्याम् मोक्षः જ્યારે વિચાર આચારમાં ઊતરે છે ત્યારે જીવન્મુક્તિ મળે છે. ચારિત્ર્યશુદ્ધિ જીવન્મુક્તિનુ શ્રેષ્ઠ સાધન છે. માનવજીવનના મુખ્ય ઉદ્દેશ રાગદ્વેષથી વિમુક્ત થઇ જવન્મુક્ત બનવાના છે. જીવન્મુક્ત બનવા માટે પ્રત્યેક પ્રાણીએ રાગદ્વેષના મૂળ કારણને વિચારી – શોધી તેને નિર્મૂળ કરવા માટે પ્રયત્ન–પુરુષાર્થ કરવા આવશ્યક છે. વિચાર – મનન, નિદિધ્યાસન – શાધન એ બધાં સૂત્રજ્ઞાનના પર્યાયવાચી શબ્દો છે અને આચાર – પ્રયત્ન – પુરુષાર્થ શબ્દો આફ્રિ ચારિત્રધર્મીના પર્યાયાક છે. ‘૧૪મ નાળ તો ચા 'ज्ञानं वध्यं क्रियां विना, ' ‘જ્ઞાનવારિત્રાભ્યાં મોક્ષઃ' એ બધાં આય’સૂત્રા મેક્ષપ્રાપ્તિ માટે સૂત્રજ્ઞાન અને ચારિત્રના સાહચય'ની આવશ્યકતા સૂચવે છે.
SR No.023275
Book TitleDharm Ane Dharm Nayak
Original Sutra AuthorN/A
AuthorShantilal Vanmali Sheth
PublisherShantilal Vanmali Sheth
Publication Year
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy