________________
|અભ્યાસ કરી શક્યા નહિ. શક્તિ હોવા છતાં આ ર્થોપાર્જન પણ કરી શક્યો નહિ. અને આ બધી ભાંજગડમાં | જ છ-સાત વર્ષનો સમય ગાળ્યો.
પૂ. ધર્મસાગરજી મ. સંસારીપણામાં નગીનદાસ કરમચંદના ત્યાં નામાદાર હોવાથી મૂળથી કરકસરિયા અને ઝીણવટભર્યા સ્વભાવવાળા હોવાથી કામ પૂરતો માણસોનો સંબધ રાખે, પણ કામ સર્યા પછી તેમને |સંબંધની બહુ કિંમત ન હતી. જેને લઈ પ્રભુદાસભાઈએ ઘણાં વર્ષો ધૂનમાં ને ધૂનમાં તેમની પાછળ ગુમાવી| હેરાન થયા અને હું પણ છ-સાત વર્ષ ગાળ્યા બાદ સમજ્યો કે મહારાજના તાર કે કાગળથી બહુ દોડાદોડી કરવાની જરૂર નથી. વિ.સં. ૨૦૧૩-૧૪ પછી તેમનો તાર કે કાગળની ઉપેક્ષા કરવા માંડ્યો. ખાસ જરૂર હોય તો જ બહારગામ જવાનું રાખ્યું. આમ, ટ્રસ્ટ એક્ટ વિગેરેની પાછળ મેં પાંચ છ વર્ષ ગાળ્યાં હશે.
કો
૧૨૪]
[મારાં સંસ્મરણો યાને ૫૦ વર્ષની જૈન શાસનની આછી રૂપરેખા