SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ અમ મનુષ્યોના છળકપટને વશ બનેલી બાળાના દુખને સાક્ષાત્કાર ૪૫૩ જ બદલાય. આ વાત સેા ટકા તેા કેમ જ મનાય ? વળી સુષમાનું ગમે તેટલું મારા પ્રત્યેનું આકણુ હાય તાપણુ, મા – બાપ – સગા – સ્નેહીઓ-જ્ઞાતિજના પણ હીનકુલના અને ધાડપાડુ ભિલડા એવા મને, આવી પદ્મિની પુત્રી કેમ આપે ? સુષમા ચત્તીપાટ પડી હતી. અને રાતી હતી. આંખેામાંથી આંસુ ચાલતાં હતાં. અને વિચાર આવ્યા, મેં ખૂબ જ ભૂલ કરી છે. મે' મારા કુળની ખાનદાનીનો વિચાર કર્યો નહીં, માતા–પિતા અને ભાઈ એના વાત્સલ્યના વિચાર કર્યા નહીં. મે' મારા ધર્માંના વિચાર ન કર્યાં. અરે, મેં મારા શરીરની શિક્તના પણ વિચાર ન કર્યો. કથાં ધન-ધાન્યથી ભરેલી પિતાજીની હવેલી ? કયાં કુટુંબના મનુષ્યાને કિલકિલાટ ? કાં સુકુમાર-કુલની શય્યા ? અને કયાં કાંટા-કાંકરા--ખાડા-ટેકરામય–ભય'કર · ભૂમિ ? મેં મારી જિંદગીને, કલંકમાં–દુખમાં અને ભયમાં ધકેલી દીધી. એક આય ખાળા તરીકેની આબરૂને મે કોલસાથી પણ કાળી બનાવી. કુલટા કન્યાઓની ઓળમાં મારું નામ નોંધાઈ ગયું. મારા આવા અવિચારી કૃત્યને હજારો વાર ધિક્કાર ! મે' મારા પિતા–માતા અને ભાઈ એની લાખેાની મિલકતની બરબાદી સરજાવી. મા-બાપ–ભાઈ આને રડતાં બનાવ્યાં. અને આખી જિંદગી પારકાં ટોણાં ખાતાં કરી મૂકયાં. મા-આપના બદલેા વાળવાની જગ્યાએ વિશ્વાસઘાત કર્યાં. આવું બધું અધમ કાર્ય કરાવનાર કામવિકારોથી લેાછલ ભરેલી સ્વચ્છ ંદતાને, હજારો વાર ધિક્કાર. હવે મારા મચાવ માટે શું ઉપાય કરવા ? 66 27 પ્રથમ વિચાર કર્યા નહી, હવે કર્યું શું થાય? વિષ્ટામાં ગંગાજળ ભળ્યુ', જુદુ કેમ કરાય ? “સુખ મેળવવા પીધું ઝેર, ગયુ. પેટ ત્યાં પ્રકટ્યો કેર, દેહમાં પ્રકટી લાયેલાય, હવે બળાપા કીધે શુ થાય ?’૨ ૧ દીવા પકડી કૂવામાં પડે, કાંઠા કયાંય દેખ્યા નવ જડે, પછી મૂર્ખ મેાટેથી રડે, હવે બળાપો કીધે શું વળે? ૩ ચિલાતીપુત્રે સુષમાની શક્તિનું અને વિચારનું માપ કાઢી લીધું. સુષમા હવે આવવા તૈયાર નથી. શેઠ અને સૈન્ય લગે લગ થવાની તૈયારી છે. હવે શુ કરવું, છેલ્લે દાવ અજમાવી જોઉં... ચિલાતીપુત્ર : સુષમા ! કેમ હવે ચાલવું છે કે નહીં ? સુષમા ઃ મારી ચાલવાની કે સાથે આવવાની જરાપણ આનાકાની નથી. પરંતુ મારું શરીર હવે ચાલી શકવા તૈયાર નથી. હું શું કરી શકું? મને ઊભી થવાની પણ તાકાત નથી. મારા પગનાં તળિયાં લેાહીલાહાણ થઈ ગયાં છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy