SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચિંતકોને કેમ પાલવે ? તેવા વખતે તેને તેવા માગે જતા અટકાવવો તે જ તેના હિતચિંતક માતાપિતા, વડીલબંધુ કે મિત્રોની ફરજ છે. પ્રશ્નઃ સમજાય તેવા દાખલાઓ ટાંકીને સમજાવો. ઉત્તર : જેમ એક મહારોગી મૂર્ખ માણસ, અપચ્ય સેવતા હોય, સેવવા ઈચ્છતે હેય તે, તેના ઉપકારી કુટુંબીઓ કે વૈદ્યરાજ, તેને અપથ્ય ખાવા દે નહીં. અપથ્ય સેવતાં અટકાવવાના બધા જ પ્રયાસ કરી છૂટે. વળી કઈ મૂર્ખ મનુષ્ય ખોટા ગભરાટને વશ બની ઝેર ખાવા તૈયાર થાય, ગળે ફાંસે ખાવા તૈયાર થયે હાય, કૂવા તળાવમાં પડીને, પ્રાણને અંત લાવવા તૈયાર થયો હોય; આવા માણસના મરવાના બધા પ્રયાસો નિષ્ફળ બનાવવા હિતકારી માણસે, બધું કરી છૂટે છે. અને સરકાર પણ તેને જરૂર અટકાવે છે. કઈ સ્વેચ્છાચારી મનુષ્ય; જુગાર કે સટ્ટાખોરીમાં, વડીલોપાર્જિત મિલકતને વેડફી નાખતો હોય, તેવા પ્રસંગે, નજીકના હિતકારીઓ તેને તેમ કરતો અટકાવવા રાજ્યની સહાય લેવા સુધી પણ ઉદ્યમ કરી, તેના બધા ખેટા વ્યાપાર અટકાવવા બધું કરી છૂટે છે. કઈ ચોરી કરવા સિનારને ઘરના માલિકે આજુબાજુના પાડોસીઓ સરકારી ચેકિયાતે પણ તેને પીછો પકડીને, તેની પાસેથી ચોરાયેલું પાછું લેવા બધા જ પ્રયત્ન કરે છે. તેમ કરવામાં વખતે બે પક્ષમાં, કેઈની જાનહાનિ પણ થઈ જાય છે. અહીં પણ ધનાવહ શેઠને, પિતાની વહાલી પુત્રી સુષમાના સુખ દુઃખ નેવિચાર જ. ચિલાતીપુત્ર અને સુષમાના સ્વચ્છેદાચાર અટકાવવા તદ્દન જરૂરી અને ન્યાયપૂર્ણ ઉદ્યમ હતો. પ્રશ્ન : પાકી વયનાં છોકરા છોકરી પોતાનું ભવિષ્ય નક્કી કરે તે માબાપ વચ્ચે ન આવે તે હું શું? ઉત્તર : જ્ઞાનીઓ ફરમાવે છે કે– यदेकः स्थविरो वेत्ति, न -त-तरुणकोट्यः। योनृपलत्तया हंति, वृद्धवाक्यात स पूज्यते ॥ १॥ અર્થ : એક પરિણામપામેલી બુદ્ધિવાળે ઘરડો મનુષ્ય, જે સમજી શકે છે, તે વાતને, નવીન જુવાનીઆઓ કેડો પણ સમજી શકતા નથી. એકવૃદ્ધ માણસની બુદ્ધિ સેંકડો યુવાને થકી અધિક હોય છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy