SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસા મહાભયંકર પાપ છે, હિંસક જીને અવશ્ય ભવિષ્યમાં મહાદુ ભોગવવાં પડશે ૪૨૭ નાખે છે. આવાં બધાં પાપે માનવી કેવલ અજ્ઞાનતાને વશ થઈને જ કરે છે. મહાભારતમાં પણ કહેલ છે કે: यावन्ति पशुरोमाणि, पशुगात्रेसु भारत!तावद्वर्ष-सहस्राणि पच्यन्ते पशुघातकाः ॥१॥ અર્થ : હે ભારત-યુધિષ્ઠિર ! પશુઓને મારવામાં મોટો ગુને છે. કારણ કે એક પશુને બકરાને, ઘેટાંને, શુકરને, શશલાને, માછલાને, કઈ મારી નાખે છે, તેના શરીરમાં જેટલાં રુંવાડાં છે, તેટલાં હજારો વર્ષ, નરકગતિમાં હિંસક લેકેને કુંભીપાકમાં પકાવું પડે છે. જ્ઞાનીઓ પૂછે છે કે : इक्कमरणाओ बीहसि, अणंतमरणे भवम्मि पाविहिसि । जम्हा अणेग कोडि जीवा, विणिवाइया तुमए ॥१॥ थेवदुहस्स बीहसि, अणंत दुक्खे भवम्मि पाविहिसि । जम्हा अणेक कोडिजीवा, दुक्खे संताविआ तुमए ॥२॥ ભાવાર્થ: હે મહાભાગ્યશાળી આત્મા? તમને થોડું દુખ પણ પસંદ નથી. તો પછી હજારે લાખ કે કરડેને દુખ આપનારા આપને સુખ કેવી રીતે મળશે? વળી આપને એક વાર મરવું પણ પસંદ નથી, તો તમારા સ્વાદ માટે, તમારા આરોગ્ય માટે, તમારી સુખસગવડો માટે, તમારી રમતગમત માટે, કતલ થઈ રહેલા લાખો-કોડે જેનાં મરણને વિચાર કેમ લાવતા નથી ? થોડા દુખથી બચવા સારુ અથવા શેડો આનંદ ભોગવવા માટે, તમે તમારા હવે પછીના અનંતા દુખો અને અનંતા મરણોનું જોરદાર, અધમપણું પુરવાર કરી રહ્યા છે. પ્રશ્ન : દયાને સમજનારા બહુ જ થોડા છે. જ્યારે હિંસામાં દેટ દેનારાને પાર નથી. તે શું એવા બધા નરકગતિમાં જવાના? હિંસક છે નરકમાં જ જાય તો પછી નરકમાં પણ સંકડાશ થાય ને? ઉત્તર : ભગવાન મહાવીર સ્વામીને આત્મા, ૧૮માં ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં, મહાપાપ કરીને સાતમી નરક ગતિમાં, ગયાનું શાસ્ત્રોમાં વિધાન છે. ૨૦મા ભવમાં સિંહને અવતાર પામી, મહાપાપ કરી, પાછા ચોથી નરકમાં ગયા છે. કર્મને કોઈની શરમ સિફારસ કે દયા છે જ નહીં. બ્રહ્રદત્ત, સુભૂમ, વસુ, મમ્મણ, ધવલ, કાલશૌકરિક જેવા મેટા માણસો પણ કર્મ આગળ રાંકડા બની નરક ગતિઓમાં ચાલ્યા ગયા છે. वरंभिक्षाटनाभ्यासो, वरंहालाहलादनं । वरंप्राणपरित्यागो, मा हिंसाजीविका बरं ।।१।। અર્થ : ખાવા ન મળે તે ભક્ષા માગીને ખાવું સારું, પણ હિંસા કરીને જીવવું સારું નહીં. અર્થાત્ જીવવા માટે, આજીવિકા માટે, આરોગ્ય માટે, હિંસા કરવી પડે તે હલાહલ ઝેર ખાઈ લેવું સારું. વળી બીજા કોઈ કારણે વડે, પ્રાણોને નાશ કરી નાખવો
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy