SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ માણસના પુણ્યને દુરૂપયોગ યાને વિચારની પરાકાષ્ટા ૨૭૧ વહાલા એ પૈકી એક પુત્રને, હું તે આચાર્યને આપી દઉં તેા, હું દેવામાંથી મુક્ત થાઉં છું. મારા પુત્રા મારું વચન માને, મારી–ઇચ્છા પૂરી કરે તો જ હું વચનબદ્ધ થયા છું તેમાંથી મુક્ત થાઉં ! પિતાનાં વચને ધનપાળ અને શેાલન ખનેએ સાંભળ્યાં. અને હસીને ઊડી ગયા. પિતાને સમજાઈ ગયું કે, મારી વાત આ લેાકેાને ગમી નથી. આચાર્ય ભગવંતે પણ આ વાત જાણી લીધી. અને યથા સમય વિહાર કરી ગયા. મહાશય લક્ષ્મીધરને દેવું રહી ગયાના ખેદ ચાલુ છે. આમ કુટુંબના આનદ્વપૂર્ણ દિવસે જાય છે. કેટલાકને યુવાની આવે છે. કેઈ ને વૃદ્ધાવસ્થા આવે છે. તેા વળી કોઈ મરણની નજીકમાં મુકાય છે. જ્ઞાનિ પુરુષા ફરમાવે છે કે : वध्यस्य चौरस्य यथा पशोर्वा संप्राप्य माणस्य पदं वधस्य । शनैः शनैरेति मृतिः समीपं, तथाखिलस्येति कथं प्रमादः ॥ १ ॥ અર્થ : માણુસના ખૂન જેવા મોટા ગુના કરનારને, કોઈ ન્યાયાધીશે તેને, ફ્રાંસીની સજા ક્રમાવ્યા પછી, તેવા માણસને સરકારી માણસા, ફાંસીના સ્થાન તરફ લઈ જાય છે, ત્યારે તથા અજ્ઞાની નિય માણુસા બકરા-ઘેટા-કે પાડા કાઈ પણ પશુને, દેવીના સ્થાન ઉપર અલિદાન આપવા લઈ જાય ત્યારે— તે ચારને કે તે પશુને, જેટલાં ડગલાં ચલાવાય છે, તેટલુ–તેટલું મર તેની નજીકમાં આવતું જાય છે. તેજ ન્યાયે જન્મેલેા આત્મા, મોટા થતા જાય છે, તેમ મરણ તેને પણ નજીક જ આવતુ જાય છે. તાપણુ જગતના ડાહ્યા કે મૂખ માણસ કાઇને, આ વાત કેમ સમજાતી નથી? બાલક અને યુવાન ને, યુવાન ઘરડા થાય, વૃધ્ધા મરણુ નજીકમાં, રાંક સમા દેખાય, ઘણી કમાણી લાવતા, ખાનપાન પરિધાન, છાતી કાઢી ચાલતા, ધરતા બહુ અભિમાન, બહુ મિત્રા સેવક ધણા, નારી પુત્ર પ્રભાવ, જરા રાક્ષસી જોરથી, બને બિચારા સાવ. હાંકેાટે હાજર થતા, હમેશ બેડતા હાથ પણ ઘડપણ પરવશ બને, કાઈ ન આપે સાથ પત્ની પુત્રા સેવા, તે સ્વામી ને તાય, પણ ઘડપણ આવ્યા પછી, સગું કાઈ નવ થાય, ૧ ર ૩ ૪ ૫
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy