SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ થયેલા હેાવાથી તદ્દન સત્ય છે. આપણા ધર્માચાર્યાં પણ ઘણા વિદ્વાન છે. તે પણ ભાવિ ભાવથી આ વખતે, આપણા ગુરુએ હારી ગયા છે તેથી ધમ નિરાધાર બન્યા છે. બાળક મલકુમારના માતાને પ્રશ્ન : રડવાથી શુ ફાયદો ? એના માટે ઉદ્યમ કરવા જોઈ એ ને ? માતાના ઉત્તર : ભાઈ, હું ખાઈ માણસ છું, અને તુ ખાળક છે. આપણે અશક્ત આત્મા શું કરી શકીએ ? મલ્લકુમાર કહે છે: ફરીને જૈનાચાર્યે મળીને, વાદ કરીને, બૌદ્ધોને ન હરાવી શકે ? માતા કહે છે : દીકરા ! તારી બુદ્ધિ ખૂબ જોરદાર છે. બુદ્ધિના પ્રકવાળા મનુષ્ય હાય, તેજ આવા દુષૌદ્ધોને જીતી શકે. તારી બુદ્ધિ અને કપાળ અને તેજદાર છે. જો તું દીક્ષા લે તેા, જરૂર બૌદ્ધોને જીતી શકીશ, અને આપણા ખાવાઈ ગયેલા ધર્મો, ધર્મસ્થાનો અને તીર્થોના પાછે આપણને કબજો પણ મળી જાય. પરદેશ ચાલ્યા ગયેલા ધમી આત્માએ પાછા આવશે. ધર્માંથી ભ્રષ્ટ થતા જીવા ખચી જશે. આવા બધા ગુણા અને શક્તિ હું તારામાં જોઉં છું. વડાલા પુત્ર! માતાની આશા પૂરવા` ભાવના થાય તેા, મારું અને લાખા જીવાનું કલ્યાણ કરવા સાથે, તારા સંસાર ટૂંકા થઈ જશે. દુ^ભદેવી વાતો કરતી વચમાં, વામાં, રડતી હતી. પોતાની વાત્સલ્યવતી માતાનાં અપૂર્ણ વર્ણના સાંભળી, મલ્લકુમારમાં એકદમ શૂરતાના પ્રકાશ થયા, અને માતાને કહેવા લાગ્યા, “જો મારી જન્મદાત્રી માતાને, હું શ્રીજૈનશાસનની પ્રભાવના કરી શકું એવા વિશ્વાસ આવતા હાયતા, હમણાં જ હું માતાના આશીર્વાદ વધાવી લેવા અને જૈનશાસનના ઉદ્ધાર કરવા તૈયાર છું.” માતા દુલ ભદેવીને ઘણી નવાઈ લાગી. પેાતાની કલ્પના સાચી નીકળી. બાર વર્ષના બાળકમાં આવેલી ક્રૂરતાપૂર્વક શાસનસેવાની ભાવના સાંભળી ઘણી આનંદ પામી. પેાતાના વહાલા પુત્રના મસ્તક ઉપર હાથ ફેરવીને બેલી, વહાલા પુત્ર ! તું આપણા શાસનને ચાક્કસ ઉદ્ધાર કરી શકશે, એમ મારા આત્મા સાક્ષી પૂરે છે. કારણ કે તારા શરીરમાં, હાથપગના તળિયામાં દેખાતાં લક્ષણા, તારામાં છુપાઈને બેઠેલી શક્તિ અને સરસ્વતીની સૂચનાઓનાં પ્રતીક જેવાં લાગે છે. માતાનું પ્રેાત્સાહન પામીને, અને આશીર્વાદ મેળવીને, પોતાના સગા, જિનાનંદ સૂરિમહારાજ પાસે મલ્લકુમારે દીક્ષા લીધી. એકવાર ગુરુ મહારાજની ગેરહાજરીમાં, પૂર્વગત શ્રુતમય, નયચક્રગ્રન્થનું પુસ્તક છેડીને વાંચવું શરૂ કર્યુ. ફક્ત પહેલી કારિકા (શ્ર્લાક કે ગાથા ) વાંચીને વિચારી છે, તેટલામાં શ્રુતદેવતાએ ( અદશ્ય રહીને) પુસ્તક હાથમાંથી ખે`ચી લીધું. મલ્લમુનિ ખૂબ રાયા. છેવટે ગિરિખંડલ નામના પર્વતની ગુફામાં રહીને, ચારમાસ છઠના પારણે લુખા વાલ વાપરીને, તથા બે માસ છઠના પારણે વિગઈ વાપરીને, શ્રુતદેવીની
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy