SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૦ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ “સારાં ખેટાં કાર્યમાં, વિચાર પહેલે થાય છે પ્રાય: તેવા માનવી, મૂર્ખ નહીં કહેવાય છે ૧ છે કાર્ય વિચારી જે કરે, કદી નહીં પસ્તાય ! ખૂબ વિચારક માનવી, બુદ્ધિમાન ગણાય” ! ૨ છે “વગર વિચાર્યું જે કરે, પછી ઘણે પસ્તાય ! વ્યસન-રોગને આપદા, તે નર પાછળ ધાય” | ૩ | રાવણ જેવા રાજવી, કર્યું ઉતાવળ કામ ! સીતા હરણ, પામ્યા મરણ, જીત્યાલક્ષ્મણ-રામ” | ૪ | કલાવતી જેવી સતી, શંખ સમે મહારાય ! રાણી હાથ કાવિયા, પછી મરવાને જાય છે ૫ છે મહાસતી દેવી અંજના, કેતુમતી સાસુ થાય કલંક દઈ કાઢી વિને, પછી ઘણી પસ્તાય” છે ૬ છે માયણ જેવી દીકરી, પિતા પ્રજાપતિરાય ! ઉંબરવર પરણાવીએ, પછી ઘણો પસ્તાય” | ૭ | “વિજયસુન્દરી દીકરી, પિતા પદ્મરથરાય જમાઈ બનાવ્યો ભિલ્લને, પછી ખૂબ પસ્તાય” ૮ ! “અકારી શ્રાવિકા, શીલવતી શૃંગાર કધ-માન બે દોષથી, પામી દુ:ખ અપાર” | ૯ | અમને પગ બંધન થશે, તમને ખેદ અપાર, બાળકને બહુ દુઃખ થશે, તેને કરે વિચાર.” ૧૦ માટે વિચારવતી શ્રાવિકાબેન! ઉતાવળ ન કરે. હજી થોડા દિવસ વિચાર કરવાની જરૂર છે. અમારે તે પહેલી અમારી રત્નત્રયી, તથા ચોવીસે કલાક આઠે પ્રહર અમારે સ્વાધ્યાય અને નિત્યક્રિયાઓમાં પણ અમને વખત મળતું નથી. અમારે માટે આહાર અને નિદ્રા પણ, અશક્ય પરિહાર હોવાથી જ, ફરજીઆત બનાવવા પડે છે. ચાલી શકે તે મહામુનિઓ આહાર અને નિદ્રાને પણ પંપાળવા ખુશી હોતા નથી, તે પછી આટલા કુમળા બાળકની આળપંપાળ કેમ જ થઈ શકે ?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy