SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ આવા ચારસા યોજનનો એક પ્રમાણ આંગુલ બને છે. પહેલા જિનેશ્વર વૃષભદેવ સ્વામીનું શરીર પાંચસા ધનુષ પ્રમાણ હતું, તે તેમના પોતાના હસ્તમાપથી સાડાત્રણ હાથનું સાતવે તનું હોય છે. પરંતુ આપણા શરીરથી પાંચસો ગુંણું મોટું જાણવું. અને ત્યાર પછી અજિતનાથ સ્વામીથી મહાવીર સ્વામી સુધી, શરીરપ્રમાણ ઘટતું ગયું. તે બધાં આત્મ અંગુલ જાણવાં. હવે જેટલા ગતમાં શાશ્વતપદાર્થો મેરૂપર્વત વિગેરે તથા દેવાનાં વિમાન, દેવભવન, નરકાવાસા, જંબુદ્રીપનું વિગેરે દ્વીપ સમુદ્રોનાં પ્રમાણે આવા બધાજ શાશ્વત પદાર્થોનું પ્રમાણ, પ્રમાણ અંગુલના માપથી સમજવું. અને દેવાનાં મનુષ્યોનાં શરીરો અથવા બીજી પણ આશાશ્વતી વસ્તુઓ વિગેરે, ઉત્સેધ આંગુલથી મપાય છે. અને અયોધ્યા વિગેરે નગરીઓનાં માપ, તે તે સમયના આત્મઆંગુલથી માપ થાય છે. મેરૂપર્વતની ઉંચાઈ શાલસા ગાઉના એક યોજન પ્રમાણે જાણવી. તેથી જિનેશ્ર્વરદેવના અભિષેકના જળના પ્રમાણથી, પણ મેરૂપતની માટીનું પ્રમાણ ઘણું મોટું હેાવાથી પાણીના પ્રવાહ માટીમાં જ શાષાઈ જાય છે. પ્રશ્ન : મેરૂપર્વતને કયા લાકમાં ગણી શકાય છે? ઉત્તર : મેરૂ પર્વત ત્રણ લેાકમાં ગણાય છે. એક હજાર યોજન જમીનમાં હોવાથી, સા યોજન પાતાળમાં ગણાય છે. અને અઢારસા યોજન તિńલાકમાં ગણાય છે. તથા અઠ્ઠાણુહજાર અને સા યોજન ઉર્ધ્વલાકમાં સમજવા. ઉત્તરકુરુ અને દેવકુરૂ એવાં બે, ઘણાં મોટાં, અને ત્રણ ગાઊના જેમાં વસેલાં પશુઓ પણ, છગાઉના શરીરવાળાં હોય છે. આવા અકાળ મરણના ઉપદ્રા લાગતા નથી. કારણ કે તેઓ નિરૂપક્રમ તથા મેરૂપર્વતની ઉત્તરદક્ષિણ દિશામાં શરીરવાળાં, યુગલિક મનુષ્યથી ભરેલાં ક્ષેત્ર છે. વિશાળ કાયધારી મનુષ્યો, અને પશુઓને રોગ કે આયુષવાળા હોય છે. પ્રશ્ન : મેરૂપર્વત ઉપર બેત્રણ ચાર ઈન્દ્રિયવાળા જીવો કેમ ન હોય? ઉત્તર : વિકલેન્દ્રિયજીવો તિńલાક સીવાય ઉર્ધ્વ અધાલાકમાં ઉત્પન્ન થતા નથી. તથા ૩૦ યુગલિક ક્ષેત્રે, ૫૬ અન્તીંપામાં, તથા ભરત ઐરવતમાં ૧૮ કોટાકોટિ સાગરોપમ યુગલિકકાળ હોવાથી વિકલેન્દ્રિયજીવા ઉત્પન્ન થાય નહીં. પ્રશ્ન : છતાં આવા ગતના એકાન્ત ઉપકારી, સર્વજીવાની દ્રવ્ય—ભાવદયાના સમુદ્ર. જિનેશ્વર દેવાના જન્મસ્નાત્રમાં આટલા મેટો પાણીના જથ્થા વપરાય તે શું વ્યાજબી છે? ઉત્તર : અનંતા તીર્થંકરો અને ગણધો. સર્વજ્ઞ થઈ, મોક્ષમાં ગયા છે. તે સર્વજિનેશ્વરોના મેરૂપર્વત ઉપર અભિષેક થયા છે. અભિષેક કરનારા ચાર નિકાયના દેવા હોય છે. તેઓ પણ મહાબુદ્ધિશાળી, અને પોતાતા આત્માનું કલ્યાણ ઈચ્છનારા અને પામનારા હતા. આવા વિધિ નવા નથી. કલ્પિત નથી. શાશ્વતિક છે. ખાટો હોય તો ચાલુ કેમ રહે ? જે વિધિ કર્મબન્ધનું કારણ હોય. તેને સર્વજ્ઞ વીતરાગ તીર્થંકર દેવા ચાલવા કેમ આપે? ગણધરદેવા પણ પ્રથમ દિવસથી જ શ્રુતકેવલી હોય છે. સર્વજ્ઞ થઈને જ મેાક્ષ પધારે છે. આવા વિધિ. તેઓ દ્વાદશાંગી શાસ્ત્રોમાં પેસવા કેમ દે ? ત્યાર પછી સૂરિ વાચક અને મુનિ ભગવંતા. પણ ભવના ભીરૂ. શાસ્ત્રોના પારગામી, અલ્પકાળમાં મોક્ષ પધારનારા. પાતાના શાસ્ત્રોમાં ગુંથે શા માટે? પ્રરુપણા કરેજ કેમ ? એટલે વીતરાગશાસનની કોઈપણ પ્રરૂપણા કે ક્રિયા જ્ઞાનિઓની આજ્ઞા મુજબ હોવાથી, ગીતાર્થાએ આચરેલી હોવાથી, રત્નત્રયીના રુપમાં પરિણમી મેક્ષની નજીકમાં અને મેાક્ષમાં પહોંચાડે છે. નિન્દવા યોગ્ય નથી. પરંતુ ઉત્તરોત્તર પ્રશ્ન : તથા કહેવાય છે કે, હેમચંદ્રસૂરિ મહારાજ. પ્રભાસપાટણ પધાર્યા ત્યારે. કુમારપાળ રાજાના દાક્ષિણ્યથી, સોમનાથ મહાદેવને નમ્યા છે. તથા સ્તુતિ પણ કરી છે. આ વાત સાચી છે ?
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy