SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સુકાશલ બાળરાજવી ( ધાવની તદ્દન નજીકમાં જઇને ) માતા ! આપના ભાષણનો હજી હું પરમા સમજ્યા નથી માટે સ્પષ્ટ સમજાવા. ८० ધાવમાતા ઃ વહાલા પુત્ર ! આજે પૂજ્ય રાજષિ નગરમાં વહેારવા પધારતા હતા. તે બનાવ તારાં માતુશ્રી સહદેવીને જાણવા મલ્યા. અને નોકરોને ગુપ્ત સૂચના આપી, તેથી રાજર્ષિને ગરમાં પેસતા અટકાવીને પાછા કાઢયા છે. મહામુનિરાજ દરવાજા બહાર ચાલ્યા ગયા તે મે' નજરે જોયું. આવું પાપ મારાથી સહન પણ કેમ થઈ શકે ? આઋષભદેવ સ્વામીની રાજધાની છે. અહીં તેા કોઈ સાધારણ ભિક્ષુનું પણ અપમાન થાય નહીં. તેા જૈન મુનિનું તે થાય જ કેમ ? ત્યારે આ તેા આ નગરીના વિદ્યમાન રાજા દીક્ષા લઈ પેાતાના પુત્ર અને પુત્ર સમાન પ્રજાનાં આંગણે ભિક્ષા લેવા પધારે તે તેા પુત્ર અને પ્રજાજનનાં, મહાભાગ્ય લેખાવાની જગ્યાએ અપમાન, અનાદર, તિરસ્કાર અને પ્રહારો કેમ ? રાજા સુકાશલને ધાવમાતા પાસેથી, પિતાના અનાદરના સમાચાર મળ્યા પછી પોતાની માતા સહદેવીની વિશ્વાસુ પરિચારિકા પાસેથી, એપણ જાણવા મળ્યું કે, તેના પિતા મુનિરાજનો સમાગમ થાય તે, વખતે પુત્ર પણ સાધુ બની જાય તે હું પતિ અને પુત્ર 'નેથી વંચિત બનું ને ? પોતાની જન્મદાત્રી માતા સહદેવીનું, પેાતાના પૂજ્ય પિતાજી રાજર્ષિ પ્રત્યેનું આવું અનાય આચરણ જોઈ ને, કુમાર રાજવી સકેશલને ક્રોધ અથવા વૈર વધારનારું ન થયું, પરંતુ વૈરાગ્યને ખેંચી લાવનારું તે જરૂર થયું અને વિચારવા લાગ્યા. ધિક્કાર છે આ સંસારને ! સ્વાર્થ હોય ત્યાં સુધી પત્ની પોતાના પતિ માટે કેટલું સહન કરે? છે. સ્વા નષ્ટ થતાં તે જ પત્ની ભયંકર વૈરિણી બની બેસે છે. કાના સ્વામી ? કાની નાર ? સ્વારથ કાજ બતાવે પ્યાર ના’ય સ્વારથ જો તલભાર. પાસે આવે ન કે’ ક્ષણ વાર ॥ ૧ ॥ ભાઈ બહેન, પિતા ને માય, પુત્ર-પુત્રી, નારી સમુદાય સ્વારથ હોય તો પ્રેમ જણાય, વિષ્ણુ સ્વારથ સગા નવ થાય ॥ ૨॥ મારું મારું જીવડો કરી ફાટ ફુલાય, સાથે કોઈ આવ્યું નથી, માટે હું નિજ તાતનું, આરાધન કરી ધર્મનું, સાથે કાઈ નહીં જાય ॥ ૩ ॥ શરણું લેઈ કરું અલ્પ સુખકાર સંસાર ॥ ૪ ॥ મહારાજવી સુકેશલ માતા—પત્ની કે પરિવાર કાઈ ને જણાવ્યા વગર નગરની બહાર જ્યાં પિતાજી મહામુનિરાજ વિરાજતા હતા. ત્યાં પહેાચી પણ પૂછ્યા વગર કે
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy