________________
ભુલકણા રાજાઓની ભ્રમણા : પ્રકરણ ૧૩
૭૧
અપ્રમત્તપણે ભણવા લાગ્યો. પુરુષની ૭ર કલાએ ભણ્યા, વ્યાકરણ, કાવ્ય, કાષ, ન્યાય વગેરે બધું નિજનામવત્ અભ્યસ્ત થયું-તથા રાજકુમારને ચાગ્ય બધી યુદ્ધની વિદ્યાએ અને કલાઓનો પારગામી થયા. રાધાવેધ, શબ્દવેધ, પત્રવેધ, લવેધ જેવી અનેક વિદ્યાઓ અને કલાઓના પારગામી થયા. કહ્યું છે કે વિપાયા નાળ વિનયથી જ્ઞાનની પ્રાપ્તિ થાય—કુમાર સુરેન્દ્રદત્ત વિનયી હતા.
ઈન્દ્રદત્ત રાજવીની અન્ય રાજ્યામાં ઘણી મોટી આખરુ હતી, અને ઘણા પુત્રા હાવાની તથા સારા વિદ્વાન પડતા રોકી રાજકુમારોને ભણાવવાની પણ પ્રસિદ્ધિ ફેલાઈ હોવાથી, મથુરા નગરીના જિતશત્રુ રાજાએ પાતાની ચાસઠ કલા ભણેલી ( કન્યારત્ન ) નિવૃતિનામા પુત્રીને, પ્રધાના સાથે સ્વયંવરા ઈન્દ્રપુરાધીશ ઈન્દ્રદત્ત રાજાના પુત્રાને પરણાવવા મેાકલી.
કન્યાની પ્રતિજ્ઞા એવી હતી કે રાધાવેધ સાધવામાં નિપુણ હોય તેવા કુમારને મારે પરણવું.
પ્રશ્ન :—રાધાવેધ એટલે શું ?
ઉત્તર ઃ—એક તેલથી ભરેલા કુંડ મનાવાય છે. તેની બરાબર મધ્યમાં, એક મજબૂત સ્તમ્ભ ઘણા ઊંચા ઊભા બનાવાય છે. તેની ઉપર ચાર અવળાં–ચાર સવળાં ચક્રો ઘણા વેગથી ફરતાં હોય છે. સ્તંભની છેક ઉપર એક પૂતળી અનાવાય છે. તેને જ રાધા કહેવાય છે. તે પૂતળી નીચા મુખે ઊભી કરેલી હોય છે.
રાધાવેધ સાધક પુરુષે, તેલના કુંડની સાથે જોડાએલા પાટિયા ઉપર ઊભા રહી, તેલના કુંડમાં ચક્ષુ સ્થાપી, અવળાં સવળાં ફરતાં આઠ ચક્રોની વચ્ચે ખાણ ફૂંકીને, રાધા નામની પૂતળીની વામચક્ષુ વિધવાની હોય છે. તે વિધાય એટલે રાધાવેધ થયા સમજવા.
ઈન્દ્રદત્ત રાજાના ખાવીસ રાજકુમારી, અભ્રુણ અને તુ જેવા હોવાથી, રાધાવેધ સાધી શકયા નહીં. રાજા ઇન્દ્રદત્તની સમગ્ર પ્રજામાં અપકીતિ ફેલાઈ. દેશદેશમાં અપયશ ફેલાવાનો ભય લાગવાથી રાજા ખૂબ જ ઉદાસીન થયા.
वरं न पुत्रा न कुपुत्रपुत्रा, वरं न दाराः न कुवृतदारा । वरं न मित्रं नच मूर्खमित्रं वरं क्र वासः न कुग्रामवासः ॥ १ ॥
અર્થ : પુત્ર ન હોય તે જ સારૂં. પરંતુ માતાપિતાની આખરુનું લીલામ કરે, તેવા હાય તા સારું નહીં. પત્ની ન હોય તે સારું. પરંતુ કુલટા હોય, કુભાર્યો હાય, તે સારું નહીં. મિત્ર ન હેાય તેની ચિંતા ન કરવી. પરંતુ મૂર્ખ મિત્ર તેા ન જ કરવા. ઘરનું કે ભાડાનું પણ ઘર ન હોય સારું. પરંતુ કુગ્રામ, કુપડેાસમાં ઘર સારું નહીં. જ્યાં માંસાહારી, ભ્રષ્ટાચારી, ચાર, જુગારી રહેતા હેાય ત્યાં ઘર લેવું નહીં.
રાજા ઈન્દ્રદત્તને ઉદાસ જોઈ મંત્રીએ જાણી લીધું, અને રાજને વિનંતિ કરી કે સ્વામિન્! આપ ઉદાસ થશેા નહીં. હજીક આપનો સારામાં સારા એક પુત્ર ખાદી છે.