________________
શ્રી જેસલમેર તીર્થ ઈ.સ. ૧૧૫૬માં યાદવ રાજપૂત રાજા રાવળ જૈસલસિંગે વસાવેલા જેસલમેરના, ગગનચુંબી ઊંચાઈવાળા કિલ્લા પર બાંધવામાં આવેલા જિનાલયોનું નયન રમ્ય દ્રશ્ય. જૈન ધર્મીઓ માટે જેસલમેર છેવટનું યાત્રાધામ છે. અહીં જૈન ધર્મ વિષેના સાત જ્ઞાન ભંડારો છે. જેમાં પ્રાચીન તાડપત્રીય અને હસ્તલિખિત ગ્રંથો ઉપરાંત પ્રાકૃત, મગધી, સંસ્કૃત, અપભ્રંશ અને વ્રજભાષાના દુર્લભ પુસ્તકો છે.