________________
શિલાલેખોમાંથી મળી આવ્યો છે. અહીં દરેક પૂર્ણિમાએ મેળો ભરાતો હોય તેવું દ્રશ્ય ખડું થાય છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ પ્રાચીન, શ્યામલવર્ણા અને ઘણીજ કલાત્મક છે. શિલ્પીએ મૂર્તિના મુખ ઉપર વીતરાગીપણાના ભાવો પ્રદર્શિત કર્યા છે. મૂર્તિ પ્રભાવશાળી અને આકર્ષક છે. જૈન ધર્મીઓની માન્યતા પ્રમાણે મૂર્તિ, સવાર, સાંજ અને બપોરે જુદાં જુદાં રૂપ ધારણ કરે છે અને આથી આ મૂર્તિ ચમત્કારી છે તેમ તેઓ માને છે.
SS S SSSSS