________________
વર્ણવતી કોઈ જૈન મુનિએ સજઝાય લખી છે. તેમાંની કેટલાક પંક્તિઓ નીચે મુજબ છે :
દેવરિયા મુનિવર ! ધ્યાનમાં રહેજે, ધ્યાન થકી હોય ભવનો પાર રે, દેવ વરસાદે ભીનાં ચીવર મોકળા કરવા રાજુલ આવ્યાં છે તેને કામ રે - દેવ રૂપે રતિરે વસ્ત્ર વર્જિત બાળા, દેખી ખોભાણો તિરે કામ રે - દેવ પરદાર સેવી પ્રાણી નરકમાં જાય દુલર્ભબોધિ હોય માય રે - દેવ સાધ્વી સાથે ચૂકી પાપ જે બાંધે તેનો છૂટકારો કદીય ન થાય રે - દેવ. અશુચિ કાયા મળમૂત્રની ક્યારી તમને કેમ લાગી એવડી પ્યારી રે- દેવ. હું રે સંયમી, તુમે મહાવ્રતધારી કામે મહાવ્રત જાશો હારી રે - દેવ અહેવા રસીલાં રાજુલ વયણ સુણીને બૂઝયા રહનેમિ પ્રભુજી પાસરે - દેવ પાપ આલોઈ ફરી સંયમ લીધું.
અનુક્રમે પામ્યા શિવ આવાસ રે - દેવ. SSSSSSSSSSS ૪૩ SSSS