SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થનાં એકવીસ અને એકસો આઠ જુદાં જુદાં નામો મળી આવે છે. તેમાંનાં કેટલાંક નામોનાં કારણો મળી આવે છે. અને કેટલાક નામોનાં કારણો નથી મળતાં. વળી એક ઉલ્લેખ મુજબ શત્રુંજયના એક હજારને આઠ નામો મળી આવે છે. શ્રી શુકરાજાની કથામાંથી, વીરવિજય કૃત નવ્વાણું પ્રકા૨ી પૂજામાંથી અને એક સંગ્રહ કરેલા પુસ્તકમાંથી એકસો આઠ નામો મળી આવે છે. જો કે આ ત્રણેય, નામોનાં ઉગમ સ્થાનો સમા પુસ્તકોમાંથી મળેલા નામોમાં કેટલાંક નામોમાં ફરક છે. આ તીર્થક્ષેત્રનાં એકવીસ નામો તો ઘણાં ઉગમ સ્થાનોમાંથી મળી આવે છે. આ જુદાં જુદાં ઉગમ સ્થાનમાંથી મળેલાં એકવીસ નામોમાં પણ કોઇ કંઇ નામોમાં ફરક છે. આ એકવીસ પ્રચલિત નામો નીચે મુજબ છે ઃ (૨)મુક્તિનિલયગિરિ (૩) શત્રુંજય ગિરિ (૪) સિદ્ધક્ષેત્ર (૫) પુંડરિકગિરિ (૬) સિદ્ધશેખર (૭) સિદ્ધપર્વત (૮) સિદ્ધરાજ (૯) બાહુબલી (૧૦) મસદેવિગિર (૧૧) ભગીરથ (૧૨) સહસ્ત્ર પત્ર (૧૩) શતાવર્ત ગિરિ (૧૪) અષ્ટોત્તર શતકૂટ (૧૫) નગાધિરાજ (૧૬) સહસ્ત્ર કમલ (૧૭) ઠંકરિ (૧૮) કોડિ નિવાસ (૧૯) લૌહિત્ય ગિરિ (૨૦) તાલધ્વજગિરિ (૨૧) કંદભિગિર આ એકવીસે નામોની ઉત્પત્તિ વિશે જુદી જુદી કથાઓ છે. એમાં શત્રુંજય નામ શુકરાજાની કથા ઉપરથી પાડવામાં આવ્યું છે. એમાં શત્રુ ઉપરના વિજયના કા૨ણે આ ક્ષેત્રનું નામ, શત્રુંજય પાડવામાં આવ્યું હતું તેવો ઉલ્લેખ છે. ઈ.સ.ની બારમી સદીમાં કુમારપાળના મંત્રી ઉદયનના પુત્ર વાગ્ભટ્ટે, શત્રુંજયની તળેટીમાં કુમારપાળની યાદગીરીમાં ‘કુમારપુર' નગર વસાવીને ત્યાં જૈનોના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથનું ‘ત્રિભુવન ૨૩ (૧) વિમલગિરિ
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy