________________
શ્રી અજુબાલિકા તીર્થ
ભગવાન મહાવીરને આ સ્થળે 22જુબાલિકા નદીના તીરે શાલવૃક્ષ નીચે વૈશાખ સુદ દસમના દિવસે વિજય મુહૂર્તમાં કેવળજ્ઞાન થયું હતું તેમ માનવામાં આવે છે. આ સ્થળ મહાવીર સ્વામીનું ચોથું કલ્યાણક હોઈ તે તીર્થક્ષેત્ર તરીકે જાણીતું છે. આજે જે બરાકર નદી છે તે પ્રાચીનકાળમાં 2જુબાલિકા કહેવાતી. હાલ અહિં એક જ મંદિર છે. તે નદીના તટ પર આવેલું છે. મંદિર ઘણું આકર્ષક છે. તેની નિર્માણ શૈલી મનમોહક છે. મંદિરમાં ભગવાન મહાવીરની એક પ્રાચીન કલાત્મક પ્રતિમા અને શ્વેતવર્ણની ચતુર્મુખ ચરણ પાદુકાઓ છે.
૧૩૧