SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ સમયે મધુવનમાં જ્ઞાનમંદિર, ધર્મશાળા અને પહાડના ક્ષેત્રપાલ શ્રી ભોમિયાજીનું મંદિર તેમજ પહાડ પર જળમંદિર વગેરે બનાવવામાં આવ્યાં. આ પછી કેટલાક સમયે, કોઈ કારણથી આ પહાડ પાલગંજના રાજાના કબજામાં આવ્યો. શ્વેતાંબર પંથની શ્રી આણંદજી કલ્યાણજીની પેઢીએ તારીખ મી માર્ચ ૧૯૧૮ના રોજ આ પહાડ પાલગંજના રાજ પાસેથી રૂપિયા બે લાખ બેતાલીસ હજાર આપીને ખરીદી લીધો અને આમ ઈ.સ. ૧૯૧૮ની સાલથી આ પહાડ શ્વેતાંબર સંઘના કામાં છે. ભોમિયાજીના મંદિરથી થોડે અંતરે જઈએ એટલે પહાડનું ચઢાણ શરૂ થાય છે. જૈનોની અને જૈનેતરોની પણ એવી માન્યતા છે કે શ્રી ભોમિયાજી બાબા પ્રત્યક્ષ અને ચમત્કારી છે, અને શ્રદ્ધાળુ ભક્ત જનોની મનોકામનાઓ પુરી કરે છે. આથી યાત્રાળુઓ પહેલાં શ્રી ભોમિયાજી બાબાનાં દર્શન કરી શ્રીફળ ચઢાવીને યાત્રાની શરૂઆત કરે છે. ઉપરનું ચઢાણ છ માઈલનું છે. એટલું જ ઉતરાણનું, અને લગભગ છ માઈલનું પરિભ્રમણ છે. આ બધી ટુંકોએ જતાં લગભગ અઢાર માઈલનું અંતર થાય છે. એટલે યાત્રાળુઓ લગભગ સવારના સાડાચાર પાંચ વાગે ઉપર ચઢવાની શરૂઆત કરે છે અને લગભગ ચાર પાંચ વાગે નીચે ઉતરે છે. ઉપર ચઢતાં પહેલી ટૂંક ભગવાન મહાવીરના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામીની આવે છે. આ ગૌતમ સ્વામીનું નિર્વાણ સ્થાન નથી. તેમનું સ્થાન તો રાજગૃહી અથવા ગુણાયાજી છે પણ જૈનોમાં એવી માન્યતા છે કે તેમના નામ સ્મરણ માત્રથી મનોવાંછિત કાર્ય સિદ્ધ થાય છે. આ કારણે કદાચ પહેલી ટૂંક ગૌતમ સ્વામીની હશે. ગૌતમ સ્વામીજીની ટૂંકથી ડાબા હાથે જતાં જલમંદિર જવાય છે, અને જમણે હાથે જતાં પાર્શ્વનાથની ટૂંક પર પહોંચાય છે. જલમંદિર ૧૯મી ટૂંક પર આવે છે. અહિં શ્વેતાંબર પંથની ઘર્મશાળાઓ છે, તેમાં નાહવા ધોવા અને સેવા પૂજા વગેરે માટેની વ્યવસ્થા છે. મંદિરમાં મૂળનાયક શ્રી શામળિયા પાર્શ્વનાથ ભગવાન છે. અહિં ચારેબાજુ હરીભરી વનરાજી અને શાંત વાતાવરણ છે. IN ૧૨૯
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy