SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ સમેત શિખર તીર્થકરોની તપોભૂમિ ભારતમાં જૈન ધર્મોનાં ઘણાં તીર્થો છે. મંદિરોની તો એક મોટી હારમાળા છે, અને તે પણ સ્થાપત્ય અને શિલ્પકળાની દ્રષ્ટિએ એક એકથી ચઢિયાતા છે. આ ઉપરાંત કંઈ મંદિરો ખંડિયેર હાલતમાં છે. કોઈ કોઈ સ્થળે ગુફાઓમાં પણ મૂર્તિઓ અને તીર્થકરો અને પુણ્યાત્માનાં પગલાં મળી આવે છે. હિંદભરમાં લગભગ પંદર હજારથી વધુ મંદિરોમાં નિયમિત પૂજા થાય છે તેમાં પાંચ છ હજાર મંદિરો સો વર્ષથી વધારે પ્રાચીન છે. બાકી હજારો મંદિરો અપૂજિત છે. | તીર્થોની સંખ્યા પણ ઘણી છે. તેમાં પાંચથી સાત અતિ મહત્ત્વનાં તીર્થો ગણાય છે. સમેતશિખર, શત્રુજ્ય, પાવાપુરી, ગિરનાર, આબુ, તારંગા, રાજગૃહી અને અષ્ટાપદ, આ બધાં તીર્થોમાં, તીર્થની દ્રષ્ટિએ સમેતશિખરનું ઘણું મહત્ત્વ છે, જો કે જૈન ધર્મીઓ અને ખાસ કરીને શ્વેતાંબર મૂર્તિપૂજક જૈનો શત્રુજ્ય તીર્થને ઘણું મહત્ત્વનું તીર્થ ગણે છે. જૈન ધર્મીઓની માન્યતા મુજબ, ગઈ ચોવીસીના ઘણા તીર્થંકર તેમજ ચાલુ ચોવીસીના વીસ તીર્થંકરો, ઘણા મુનિઓ સાથે અહિંથી મોક્ષે સિધાવ્યા હતા. બાકી ચાર તીર્થકરો - પહેલા આદિનાથ, બારમા વાસુપૂજ્ય, બાવીસમા નેમિનાથ અને ચોવીસમા તીર્થંકર મહાવીર સ્વામી અનુક્રમે અષ્ટાપદ, ચંપાપુરી, ગિરનાર અને પાવાપુરીમાંથી મોક્ષે સિધાવ્યા હતા. એકચૈત્યવંદનમાં બે પંક્તિઓ દ્વારા એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સમેતશિખર તીરથ વડો, જ્યાં વીસે જીન પાય વૈભારગિરિ ઉપરે, શ્રી વીર જીનેશ્વર રાય. આમ સમેતશિખરને એક મોટા તીર્થ તરીકે વર્ણવ્યું છે અને ત્યાં વીસ SS ૧૨૫ NNNN
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy