________________
રેલ્વે સ્ટેશનથી અગિયાર કિલોમીટર અને ઉદેપુર સીટી સ્ટેશનથી છાસઠ (૬૬) કિલોમીટરના અંતરે આવેલું છે. ત્રદષભદેવ રોડથી કેસરિયાજી આવવા માટે બસોની સગવડ છે. ઉદયપુરથી તો બસો અને ટેક્સીઓની પણ સગવડ છે. નજદીકનું ગામ ખેરવાડા સોળ (૧૬) કિલોમીટરના અંતરે આવેલું છે. વાહનોને આવવા માટે ઠેઠ ધર્મશાળાઓ સુધી પાકી સડક છે. ધર્મશાળાઓ મંદિરની પાસે જ છે. એટલે યાત્રાળુઓને વાહન દ્વારા મંદિર સુધી આવવાની સગવડતા છે.
ધર્મશાળાઓમાં રહેવા માટે સગવડ છે. તેમાં પાણી, વીજળી, વાસણો, ઓઢવા વાપરવાના સાધનો વગેરેની સુવિધા છે. શ્વેતાંબર જૈનોની ભોજનશાળા અને બીજી ખાનગી માલિકીની ભોજન શાળાઓ પણ છે.