SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ બાર વતાનું સ્વરૂપ 1. સ્થલ હિંસાને ત્યાગ :-આ વ્રતમાં નિષ્કારણ, નિરપરાધીવસ, (હાલતા ચાલતા) ની સંકલ્પપૂર્વકની મારી નાંખવાની બુદ્ધિ પૂર્વકની હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. 1. આ વ્રતમાં ત્રસ અને સ્થાવર એ બે પ્રકારના છામાં ત્રસ જીવોની જ હિંસાને ત્યાગ કરવામાં આવે છે. ગુહસ્થપણમાં સ્થાવર (કાચું પાણી, લીલી વનસ્પતિ વિગેરે) જીની હિંસાને ત્યાગ અશક્ય છે. 2. તેમાં પણ સંકલ્પથી એટલે કે મારવાની બુદ્ધિથી હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. મારવાની બુદ્ધિ ન હોવા છતાં ખેતી, રસોઈ, કારખાના આદિ પ્રવૃત્તિમાં અજાણતાં કે સહસા વિગેરે કારણોથી ત્રસ જીવે મરી જાય તો તે આરંભજન્ય હિંસાને ત્યાગ થતો નથી. 8. તેમાં પણ નિરપરાધી જીવોની જ હિંસાનો ત્યાગ કરવામાં આવે છે. કેઈ બદમાસ માણસ સ્ત્રીની લાજ લેતે હોય, ઘરમાં ચોર પેઠે હોય, હિંસક પ્રાણુ હુમલે કરે, કુતરું કરડવા આવે, રાજા હોય તે શત્રુની સામે લડવું પડે, સૈનિક હેય તે રાજા--આદિની આજ્ઞાથી લડવું પડે, આવા પ્રસંગમાં ગૃહસ્થથી અપરાધીને યથાયોગ્ય શિક્ષા આદિ કરતાં થુલહિંસા થઈ જાય છે તેમાં થતી હિંસાનો ત્યાગ થતું નથી. 124
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy