SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ વાર્ષિક-કર્તવ્ય શ્રાવકે દર વર્ષે (1) સંઘ પૂજા, (2) સાધર્મિક ભક્તિ, (3) ત્રણ પ્રકારની યાત્રા, (4) જિનમંદિરમાં સ્નાત્રમહોત્સવ, (5) દેવ દ્રવ્યની વૃદ્ધિ, (6) મહાપૂજા, (7) રાત્રિજાગરણ, (8) શ્રુતજ્ઞાનની પૂજા, (0) ઉજમણું, (10) શાસનની પ્રભાવના, (11) પ્રાયશ્ચિત – આલોચના, આ અગ્યાર કર્તવ્ય અવશ્ય શકિત ગે પડ્યા વિના કરવા જોઈએ. 1. સંઘપૂજઃ એટલે સાધુ-સાધ્વીજી મહારાજેને ભાવપૂર્વક પિતાના ઘરે લઈ જઈને નિર્દોષ આહાર વહેરાવ. ચારિત્રની વૃદ્ધિ માટે અને રક્ષા માટે તેમને જરૂરી એવી સામગ્રી (કપડાં, કામળી, પાતરા આદિ સાધુપગી ચીજો) વહોરાવવી, પુસ્તકે વગેરે વહેરાવવા, શ્રાવક શ્રાવિકાઓનું ઉચિત બહુમાન કરવું. વરસમાં ઓછામાં ઓછું એકવાર સંઘપૂજન કરવું. સમગ્ર સંઘનું બહુમાન સોનામહોર, રૂપિયા, તિલક આદિથી કરવું તે ઉત્કૃષ્ટ સંઘપૂજન છે. સૂતરની નવકારવાળી આદિથી કરવું તે જઘન્ય સંઘપૂજન છે. સલ સંઘનું બહુમાન ન થઈ શકે તે સાધુ-સાધ્વીજી મહારાજને મુહપત્તિ વગેરે નાની વસ્તુ વહેરાવીને અને શ્રાવક શ્રાવિકાને સોપારી-બદામ આદિ આપીને પણ બહુમાન કરવું. આર્થિક પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હોય તે પુણિયા શ્રાવકની જેમ ભકિત કરવાથી પણ સંઘપૂજનનું કર્તવ્ય અદા થાય છે. 2. સાધર્મિકભક્તિ : શ્રાવકે દર વર્ષે પિતાને સાધમી ભાઈ–બેનેનું વાત્સલ્ય શકિત પ્રમાણે અવશ્ય કરવું
SR No.023265
Book TitleShravake Shu Karvu Joie
Original Sutra AuthorN/A
AuthorMuktiprabhvijay
PublisherJayantilal Atmaram Shah
Publication Year
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy