________________
અ
તિપ માટેના મંતવ્યો
(૨)
(૩)
(૧) ___ भव कोडी संचियं कम्मं तपसा निजरइज्जइ । કરોડો ભવના કર્મ તપશ્ચર્યા કરવાથી નષ્ટ થઈ જાય છે.
- ભગવાન મહાવીર સ્વામી તપશ્ચર્યાથી શરીરને ક્ષીણ નથી કરવાનું પણ મનને ક્ષીણ કરવાનું છે. - ભગવાન બુધ્ધ તપશ્ચર્યા એક એવું રતન છે જે પોતાના વતનની વાટ બતાવે છે. - પૂ.ગ. ભાવચન્દ્રજી સ્વામી આત્માની શક્તિને પાર પામવી હોય તો તપશ્ચર્યા જીવનમાં જરૂરી છે. - પૂ.ભાસ્કરજી સ્વામી તપની શરૂઆત એટલે કર્મોનો અંત.
- પૂચેતનમુનિ (બંધુબેલડી) જ્યાં તપ ત્યાં નહિ કર્મ, અને જ્યાં કર્મ ત્યાં નહિ ત૫.
- પૂ.ધર્મેશચન્દ્રજી સ્વામી તપશ્ચર્યા એટલે કર્મોનો મૃત્યુઘંટ.
- પૂ. ગિરીશચન્દ્રજી સ્વામી તપ એ મંગલ છે. જે એનું સેવન કરે છે એનું મંગલ થઈ જાય છે.
- પૂ.ઉપાધ્યાય શ્રી વિનોદચન્દ્રજી સ્વામી (૯) કર્મના મેલને ધોવા માટે તપ એ સાબુ સમાન છે. - પૂ.શ્રી નવિનચન્દ્રજી સ્વામી (બો.સં.) (૧૦) તપશ્ચર્યા એ વ્યસનોથી મુક્ત થવાનું સુંદર સાધન છે. - શતાવધાની પૂ. રત્નચન્દ્રજી સ્વામી (૧૧) તપશ્ચર્યા સમયપૂર્વક કરવામાં આવશે તો આનંદ આવશે. જીવન પરમાનંદ બની જશે.
- પૂ. નાનચન્દ્રજી સ્વામી (૧૨) તપશ્ચર્યા એ સ્વાનુભવનો વિષય છે બોલવાનો નહિ. એક વખત લાગી જાય તો કામ થઈ જાય.
- પૂ. શામજી સ્વામી (૧૩) લક્ષ્મીવેલ વધે ને ખુશ થઈ જવાય છે, તેમ સાધક આત્માને ખાઈને ખુવાર થયા છે. પરંતુ તપ કરીને તો મોક્ષમાં સવાર થયા છે.
- પૂ. વિમલચન્દ્રજી સ્વામી (૧૪) બાર ભાવના એ પણ તપ જ છે. એનું ચિંતન કરવું એટલે તપની જ આરાધના છે.
- પૂ. ડો. ચિંતનચન્દ્રજી સ્વામી (૧૫) તપની વેલ વધે એમાં ખુશી જ હોય છે.
- પૂ. ડુંગરસિંહજી સ્વામી (૧૬) તપનો કરે વિકાસ એથી દૂર થાય ચીકાસ.
- પૂ. ચુનીલાલજી સ્વામી (૧૭) તપ એ મોતી છે અને જ્ઞાન-દર્શન-ચારિત્રમાં પરોવી દો એટલે માર્ગ સહેલો બની જશે.
- પૂનવલચન્દ્રજી સ્વામી (૧૮) તપ એટલે લાંધણ નહિ પણ આંગણ સજાવવાનું છે.
- પૂ.આ. રુપચંદ્રજી સ્વામી (૧૯) તપશ્ચર્યા એ આપણી પ્રકૃતિ છે. વારંવાર ખાવુ એ વિકૃતિ છે અને તપમય જીવન જીવવું એ સંસ્કૃતિ છે.
- મહા: શ્રી કલાબાઇ આર્યાજી (૨૦) થાય તો તપ કરશે, પણ કોઈ તપસ્વીની અશાતના નહિ કરતા. - શ્રી દમયંતીબાઈ આર્યા (૨૧) તપનો માર્ગ મોકળો થાય તો મોક્ષનો માર્ગ ટૂકડો થાય.
- શ્રી સરલાજી આર્યાજી. (૨૨) અગ્નિ જેમ કચરો બાળી નાખે છે, તેમ તપ પણ કર્મરૂપી કચરાને બાળી નાખે છે.
- શ્રી પ્રભાવતીજી આર્યા