SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા (મુણ્ડકોપનિષદ - ૧/૧/૮) तपसा चयिते ब्रह्म: । તપસ્યાથી બ્રહ્મ(આત્માને) શોધવામાં આવે છે. ब्रह्मचर्येण तपसा देवा मृत्युमुपादनत । (વૈદ) તપશ્ચર્યાથી મૃત્યુ પર વિજય પ્રાપ્ત કરી શકાય છે અને બ્રહ્મ भद्रमिच्छन्तः ऋषयः,र्वविव तपो दीक्षामुपनिषदुरग्रे તપસ્યા દ્વારા તપસ્વીજન લોકકલ્યાણનો વિચાર કરે છે. તપસ્યાથી જ લોકમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે. ભારતીય નીતિશાસ્ત્રના પ્રવર્તક આચાર્ય મનુ કહે છે કે ૠષય: સંવતાત્માન: પદ્મમૂલનિાશના । તપસેવ પ્રયન્તિ વૈજોયું સ પરાવરમ્ । (મનુસ્મૃતિ - ૧૧/૨૩૬) તપસ્યાથી ઋષિગણ ત્રૈલોક્ય જગતના ચરાચર પ્રાણીઓને સાક્ષાત જોઈ શકે છે. પ્રકરણ ૧ ગોસ્વામી તુલસીદાસજી પણ તપનું વર્ણન કરતા કહે છે કે “તપ મુવપ્રવ સવ રોષ નસાન । ડ जाइ तप अस जिय जानी” બૌદ્ધ સાધના પદ્ધતિમાં તપનું સ્થાન બૌદ્ધ સાધનામાં તપનો અર્થ છે. ચિત્તશુદ્ધિનો સતત પ્રયાસ. બૌદ્ધ સાધનામાં તપનો અર્થ તપનો પ્રયત્ન અથવા પ્રયાસના અર્થમાં જ ગ્રહણ કરેલ છે અને આ જ અર્થમાં બૌદ્ધ સાધના તપના મહત્ત્વને સ્વીકારે છે. ભગવાન બુદ્ધ મહામંગલ સૂત્રમાં કહે છે કે “તપ બ્રહ્મચર્ય, આર્યસત્યોનું દર્શન અને નિર્વાણનો સાક્ષાત્કાર; એ ઉત્તમ મંગલ છે. | 1 || - કાશી ભારદ્વાજ સૂત્રમાં તથાગત કહે છે કે “હું શ્રદ્ધાનું બીજ વાવું છું. તેના ઉપર તપશ્ચર્યાની વૃષ્ટિ થાય છે. શરીર વાણીથી સંયમ રાખું છું અને આહારથી નિયમિત રહીને સત્ય દ્વારા હું મનના દોષોને દૂર કરું છું.” || 2 || “કોઈ તપ અથવા વ્રત કરવાથી કોઈકનો કુશળ ધર્મ વધે છે અને અકુશળ ધર્મ ઘટે છે માટે અવશ્ય તપસ્યા કરવી જોઈએ. ।। ૩ ।। 1. મહામંગલસૂત્ર 2. કાસિભારદ્વાજ સૂત્ર 3. દ્રષ્ટિવિજયસૂત્ર - અંગુત્તર નિકાય સ્વયં બુદ્ધ પોતાને તપસ્વી કહે છે. બુદ્ધનું જીવન કઠણ તપશ્ચર્યાથી ભરેલું હતું. તેમના પોતાના સાધનાકાળ તથા પૂર્વજન્મનો ઇતિહાસ અને વર્ણન બૌદ્ધાગમોમાં જોવા મળે છે. ૨૬
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy