________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
(૮).
યોગસંગ્રહ સંક્ષેપમાં ૩૨ પ્રકારના છે. (૧) આલોચના – ગુરુ સમક્ષ પોતાના દોષની આલોચના કરવી. (૨) નિરય લાભ – શિષ્યના દોષોને બીજા સમક્ષ કહે નહિ. (૩) વ્રતોમાં સ્થિરતા – સંકટ સમયમાં સ્વીકારેલા વ્રતનિયમોનો ત્યાગ ન કરવો. (૪) અનિશ્લિોમધાન – બીજાની સહાયતા વગર તપ કરવું. (૫) શિક્ષા - આગમોનું વાંચન કરવું – કરાવવું. (૬) નિષ્પતિકમતા – શરીર શણગાર ન કરવો. (૭) અજ્ઞાનતા - તપના વિષયમાં ગુપ્તતા રાખવી.
આલોભતા - કોઈ વસ્તુ પ્રત્યે લોભ ન રાખવો. (૯) તિતિક્ષા - પરિષદ પર વિજય પ્રાપ્ત કરવો. (૧૦) ઋજુભાવ - ભાવોમાં સરળતા રાખવી (૧૧) શુચિ - સત્ય અને સંયમવૃદ્ધિ કરવી. (૧૨) સમ્યક્ દષ્ટિ – સાધના તથા આચરમમાં શ્રદ્ધા (૧૩) સમાધિ – એકાગ્રતા રાખવી (૧૪) આચાર - આચારમાં દઢતા રાખવી (૧૫) વિનય - ભાવોમાં મૃદુતા રાખવી (૧૬) ધૃતિમતિ - બૈર્યપ્રધાન દૃષ્ટિ (૧૭) સંવેગ - સમ્યક પ્રકારનો વેગ, સંસારનો ભય (૧૮) પ્રાણિધિ - માયારહિત થવું (૧૯) સુવિધિ - અનુષ્ઠાન (૨૦) સંવર - કર્મોના કારણોને રોકવા (૨૧) આત્મદોષોયસંહાર - પોતાના દોષોને નાશ કરવા
(૧૫)