SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૫ ટીકાકાર આચાર્ય અભયદેવ તથા અન્ય આચાર્યોનો મત છે કે જે શ્રુતજ્ઞાન ભગવાન મહાવીરથી પણ પહેલા એટલે કે ભગવાન પાર્શ્વનાથની પરંપરાથી ચાલી આવી રહ્યું છે તેને “પૂર્વ કહેવાય છે. (૧૫) ગર્દષ્યિ જે કેવળજ્ઞાનીને અલબ્ધિ પ્રાપ્ત થાય તેને માત્ર અરિહંત કહેવામાં આવે છે. બધા જ કેવળી ને નહીં. अशोकवृक्षसुरपुष्पवृष्टि दिव्यध्वनिश्चामर मास नंञ्च । મામંડ« સુમિરતપત્ર નષ્ટપ્રતિ રાખ વિનેશ્વરમ્ / (પ્રાસ્તાવિક ગાથા) અહલબ્ધિ પ્રાપ્ત થવા પર અનેક વિશિષ્ટ અતિશયો પણ પ્રગટ થાય છે. જેમાં અષ્ટપ્રતિહાર્ય મુખ્ય છે. અશોકવૃક્ષ, દેવ દ્વારા અચેત પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન ભામંડલ, દેવદુન્દુભિ અને છત્ર આ આઠ મહાપ્રાતિહાર્ય છે. (१६) चक्रवर्ति लब्धि ચક્રવર્તિ લબ્ધિના પ્રભાવથી તેને ચૌદરત્ન પ્રાપ્ત થાય છે. ત્યારે તે છ ખંડ ઉપર વિજય મેળવે છે અને પછી ચક્રવર્તી સમ્રાટના પદને પ્રાપ્ત કરે છે. (૧૭) વવ નહિ બળદેવ લબ્ધિના પ્રભાવે વાસુદેવથી બળદેવ મોટા હોય છે. બળદેવ લબ્ધિ ભાગ્યશાળી હોય છે. આ પદમાં તેમનું મૃત્યુ થતું નથી, પરંતુ પદને છોડીને મુનિ બને છે. કર્મક્ષય કરી મોક્ષમાં પધારે છે. (૧૮) વાસુદેવ નથિ વાસુદેવ ત્રણખંડના અધિપતિ હોય છે. યુદ્ધકૌશલ તથા રાજનીતિમાં વાસુદેવ ચક્રવર્તિથી પણ આગળ હોય છે. ચક્રવર્તિ સ્વયં યુદ્ધ નથી કરતા પણ જે સેનાપતિ રાજા છે તે બધુ કરે છે. પરંતુ વાસુદેવ તો સ્વયં યુદ્ધ કરે છે. બુદ્ધ ભૂરા વાસુદેવા ! (ઠાણાંગ - ૪) યુદ્ધમાં વાસુદેવ શુરવીર હોય છે.
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy