SearchBrowseAboutContactDonate
Page Preview
Page 419
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૩ ૩.૧૨ નાથ યોગી સંપ્રદાય નાથયોગ દર્શન તથા સાધના જેના આદિ પ્રવર્તક આદિનાથ શિવ છે. અને જેના વિકાસ તથા સર્વધનમાં મત્યેન્દ્રનાથ, ગોરખનાથ અને જાલંધરનાથ આદિ નવનાથ સહિત અનેક નામપંથી સાધકોનો ઉલ્લેખ જોવા મળે છે. આ યોગમાં પરમપદ નાથ છે. આ યોગમાર્ગની ક્રિયાઓ તથા યોગસાધના હઠયોગીએ સાથે મળતી આવે છે છતાં અન્તિમ સાધના પદ્ધતિમાં સાધ્ય તદ્દન ભિન્ન છે. આ યોગમાં મનશુદ્ધિની સાથે કાયશુદ્ધિ પર પણ જોર આપવામાં આવ્યું છે. આ યોગમાં હઠ તથા તત્રની સમાન ગુરુની મહત્તા બતાવતા કહે છે. I 11 કે ગુરુની કૃપાથી જ સંસારરૂપી બંધનોને તોડીને રવિની પ્રાપ્તિ સંભવે છે. નાથયોગમાં પ્રેતદ્વૈત વિલક્ષણી કહ્યા છે. પરંતુ શિવ દ્વૈત કે અદ્વૈત ન હતા. નાથયોગ અનુસાર મોક્ષ આદિ તે છે જેના દ્વારા મંત્રોચાર તથા મનન માટે જીવવાનું તે જીવનમુક્તિ છે. નાથ સંપ્રદાયોમાં કુંડલીની શક્તિ પણ માની છે. એમના અનુસાર આ શક્તિ સર્પાકારે ગુપ્ત શરીરમાં રહે છે અને તે આત્માસંયમ દ્વારા પ્રગટ કરી શકાય છે. જયારે તે જાગે છે ત્યારે શરીરમાં રહેલા છ ચક્રોને ભેદે છે. બ્રહ્માંડ એટલે કે સહસ્ત્રાધાર સુધી પહોંચે છે અને ત્યાં શીવ સાથે એક રૂપ બની જાય છે. આ પ્રકારે શિવ સાથેનું મિલન, જીવાત્મા કે પરમાત્માં લીન થવાનું પ્રતિક છે. શિવ અને શક્તિનું મિલન જ આ યોગનું ધ્યેય છે. I 2 I નાથયોગીનો સિદ્ધાંત એવો છે કે “પ્રોડÉ વહુથીમ' જ્યારે પરમ તત્ત્વ, પરમ શિવમાં સૃષ્ટિ કરવાની ઇચ્છા મુક્તિનું કારણ છે. ગોરખવાણીમાં કહ્યું છે કે नाद नाद सबव्योई कहे, नावहिं लै कोई बिरला रहै । नाद बिन्दु है फीकी सिला, जिर्हि साध्याते सिधै मिला ॥ માત્ર નાદ નાદ રટવાથી જ્ઞાનની સિદ્ધિ નથી મળતી. આ શબ્દ પરમબ્રહ્મની ઉપાસના છે. તેમાં મનને સંપૂર્ણ રૂપથી એકાગ્ર કરી તેને અમનસ્ક કરી ચિત્તવૃત્તિનો પૂર્ણ નિરોધ કરી નાદની અન્તિમ અવસ્થા જ શબ્દાતીત અવસ્થા છે. તેનામય બની પોતાના આત્મસ્વરૂપને લઈ પરમાત્મા તાદાભ્ય રૂપે સ્થાપિત કરવામાં આવે છે. યોગી રાજ ભરતૃહરિને ગોરખનાથ કહે છે કે .. 1. અમનસ્ક યોગ - ૨૪ 2. સિદ્ધસિદ્ધાન્તપદ્ધતિ – ૪/૬
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy