SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ઘોડા કે ગાયોની ગમાણમાં રહીને આ દેહ નાશવત્ત છે. ક્ષણિક છે, ભાડાનું મકાન છે. એમ સમજીને કાયાને કષ્ટ આપતા હતા એટલે કે કાયોત્સર્ગ કરતા હતા. મનુષ્યો તરફથી દેવો તરફથી કે તિર્યોચો તરફથી જેટલા પણ કષ્ટ આવ્યા અને બધાનો સ્વીકાર કર્યો. સમતાભાવે સહન કર્યું. એમનો ક્યારેય પણ પ્રતિકાર ન કર્યો. ઈન્દ્ર મહારાજા સામેથી આવ્યાને સેવાનો લાભ આપવા માટે ભાવન ભાવી આપની સાધનમાં વિક્ષેપ પાડી રહ્યા છે. એ બધાને હું અહીં રહીને અટકાવું ત્યારે પણ મહાવીર સ્વામીએ ના પાડી આ બધા તો મારા ઉપકારી છે. કર્મ ખપાવવામાં ખૂબ જ મદદ કરી રહ્યા છે. આવી રીતે મહાવીર સ્વામીની તપશ્ચર્યા માત્ર અન્ન કે પાણીનો ત્યાગ કરીને જ નહિ પણ અનેક રીતે કરી શકાય છે. તેમણે મુખ્યત્વે તપના ૧૨ પ્રકાર બતાવ્યા છે. છ બાહ્યતપ અને છ આત્યંતર તપ. બાહ્યતપ – બાહ્યતપના છ પ્રકાર છે. (૧) અનશન (૨) ઉણોદરી (૩) વૃત્તિસંક્ષેપ (૪) રસપરિત્યાગ (૫) કાયક્લેશ (૬) ઇદ્રિયપડિસંલિનતા આવ્યંતર તપ – આત્યંતર તપના છ પ્રકાર છે. (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સક્ઝાય (૫) ધ્યાન (૬) કાયોત્સર્ગ (૧) અનશન – અશનનો અર્થ છે ભોજન. જ્યારે ભોજનનો પૂર્ણ ત્યાગ કરવામાં આવે છે ત્યારે તેને અનશન કહેવામાં આવે છે. અહીં ક્યારેક થોડો ત્યાગ ક્યારેક પૂર્ણ ત્યાગ કહેવામાં આવ્યું છે. तपोनानशनात् परम यद्वि परं तपस्तद् दुधर्षम् तद् दुराधर्षम् । એટલે અનશનથી વધીને કોઈ તપ નથી. સાધારણ સાધક માટે આ દુર્લભ છે. એટલે કે સહન કરવું કઠીન છે. અનશનના વિષયમાં ભગવાન મહાવીર પણ કહે છે કે – आहार पच्चक्खाणेणं जीविया संसप्पओगं वोच्छिदइ । આહાર પ્રત્યાખ્યાન અનશન નથી. જીવ આશાનો વ્યવચ્છેદ કરે છે. એટલે જીવવાની લાલસા છૂટી જાય છે. શ્રી કૃષ્ણજીએ ગીતામાં પણ બીજા અધ્યાયમાં આ તપનું મહત્વ બતાવતા કહ્યું છે કે... વિષયા વિનિવર્તતે નિરાહાસ્ય દિનઃ ગીતાજી અર્થાત્ આહારનો ત્યાગ કરવાવાળો વ્યક્તિ ઇન્દ્રિયોના વિષયોથી નિવૃત્ત થઈ જાય છે. (૩૧૨
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy