SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ તપ: દીશા નિર્દેશ તપની સમગ્ર દિશાઓથી જોતા ખ્યાલ આવશે કે તપના મૂળમાં ત્યાગ છે. કોઈપણ પદ હોય કે પદાર્થ હોય એમાં જ્યારે ત્યાગની ભાવના ભળે છે ત્યારે જ તપની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે રાજા લોકનાયક હોવા છતાં પણ પોતાને લોકસેવક કે લોક સંરક્ષક સમજી લે તો તેમાં સ્વત્વના અહંમ્ કે મમત્વની ભાવનાના ત્યાગથી જ તારૂપી શક્તિનો વિકાસ થશે. તારૂપી સૂર્ય જાજવલ્યમાન થશે. અને અંધકારનો નાશ કરશે માટે જ કહ્યું છે કે .... संतापकर्ये तपे दोहे तापयेन तपने तपेत । શ્વર્વે વા વિવા–ાત્ તત્યતે તપતીતિ II 11 ઉપભોગમાં જરૂરી એવી વસ્તુનો ત્યાગ કરીને શરીર અને મનને વશમાં રાખવું, દઢ કરવું, સમાધિમાં સ્થિર કરવું તપ છે. શીતકાલિન કવિઓ પણ તપની પરિભાષા આપતા કહે છે કે... तिष्णा त्याग संतोष यह तप उपवास बिधान ।। 2 । યુપ્રતાપ દુવયેનત તત વિરદ સંતાપ | | 31. भाव सहित शोभा लहै पूजा जप तप मित्त ।। 4 । તપ માટે ધીરતા વીરતા સ્થિરતા જોઈશે. તપથી તપવું પડશે. તપવામાં કષ્ટ સહન કરવાના ભાવ છે. મનની ચંચળ વૃત્તિઓ પર નિયંત્રણ રાખે છે અને પોતાના માર્ગ પર અવિચલિત ભાવથી નિરંતર આગળ વધવાના ભાવ છે. તપસ્યા એક ઉચ્ચ કોટીની સાધના છે. જેમાં સાધક પોતાની ઇચ્છાની પ્રાપ્તિ, ધર્મ અથવા કર્તવ્યપાલન માટે શારીરિક કષ્ટને સહન કરે છે. માર્ગમાં આવતી મુશ્કેલીઓ અને વિપત્તિઓનો સામનો કરે છે. તપશ્ચર્યા માટે અનેક દિશાઓ તરફ દષ્ટિગોચર થાય છે. જેમ બધું જ ભૂલીને અભ્યાસમાં લીન 1. દેવા, II, રંગનાથ, પૃ.૧૧૦ 2. जसवन्तसिंह ग्रंथावली सिद्धांत सार ७७/१७८ 3. વ્યતિપ્રિયા : વેરાવાર દારૂ 4. वृंद ग्रन्थावली भावपधायिका ३/१२
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy