SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ તપશ્ચર્યા પ્રકરણ - ૨ નિરંગની સિદ્ધાર્થ ધ્યાન થાત્ રુપ વનતમ્ I (યોગ શાસ્ત્ર ૧૦/૧) - નિરંજન સિદ્ધ સ્વરૂપનું ધ્યાન કરતો આત્મા સ્વયં ને કર્મમલ મુક્ત સિદ્ધ સ્વરૂપનો જ અનુભવ કરે છે. આ પ્લાનમાં પહેલા કદી કોઈ સાકાર કલ્પના નથી હોતી, પરંતુ નિરાકાર સ્વરૂપમાં સ્થિર રહેવાનું હોય છે. રુપાતીત ધ્યાન સિદ્ધ થવા પર ભેદ રેખાઓ સમાપ્ત થઈ જાય છે. ધ્યાત, ધ્યેય અને ધ્યાન ત્રણે એકાકાર થઈ જાય છે. શુકલધ્યાન શુક્લધ્યાનનું સ્વરૂપ : ધ્યાનની આ પરમ ઉજ્જવળ, નિર્મળ દશા છે. મનમાંથી જ્યારે વિષયકષાય દૂર થઈ જાય છે તો તેની મલિનતા આપોઆપ ઘટી જાય છે. મન ઉજવળ થતાં, કર્મ રહિત બની જાય છે. મન શુકલતાને એટલે કે નિર્મળતાને પ્રાપ્ત કરી લે છે. તે મનની એકાગ્રતા તથા અત્યન્ત સ્થિરતા જ શુક્લધ્યાન કહેવાય છે. સાધકનું ચિંતન જ્યારે બહારથી અંદર ચાલ્યું જાય છે. દેહ હોવા છતાં સ્વયં વિદેહ અથવા દેહમુક્તાનો અનુભવ કરે છે. શુક્લધ્યાનના બે ભેદ કરવામાં આવ્યા છે. શુક્લ અને પરમશુક્લ ૧૪ પૂર્વધારી સુધી શુક્લધ્યાન છે. કેવળી ભગવાનનું ધ્યાન પરમશુક્લધ્યાન છે. 11. આ ભેદ ધ્યાનની વિશુદ્ધતા તથા અધિકતમ સ્થિરતાની દ્રષ્ટિથી કરવામાં આવ્યા છે. શુક્લધ્યાનના ભેદ : શુકલધ્યાનના ચાર ભેદ છે. | 2 | (૧) પૃથવસ્વ વિર્ત સવાર : પૃથકત્વ એટલે ભેદ ! વિતર્કને અર્થ છે કે પ્રધાન ચિંતન. આ ધ્યાનમાં શ્રુતજ્ઞાનનો સહારો લઈને વસ્તુના વિવિધ ભેદો પર સૂક્ષ્માતિસૂક્ષ્મ ચિંતન કરવામાં આવે છે. જ્યારે જડ પદાર્થો ઉપર, ક્યારેક દ્રવ્ય-ગુણ-પર્યાય ઉપર આવી રીતે અલગ અલગ ચિંતન કરે છે. (૨) ત્યિવિર્તિવિવાર: જ્યારે ભેદપ્રધાન ચિંતનમાં મન સ્થિરતા પ્રાપ્ત કરી લે છે. તો પછી અભેદ પ્રાર્થના ચિંતનમાં સ્વયં જ સ્થિરતા આવી જાય છે. આ પ્લાનમાં વસ્તુનું એક જ ધ્યેય બનાવવામાં આવે છે. જો એક પર્યાયરૂપ પર ચિંતન ચાલે તો એના ઉપર જ ચિંતન ચાલતું રહેશે. સાધક જે યોગમાં 1. તત્ત્વાર્થ સૂત્ર ૯/૩૯ – ૪૦ | 2. સમવાયાંગ સૂત્ર – ૪
SR No.023263
Book TitleTapascharya
Original Sutra AuthorN/A
AuthorNiranjanmuni
PublisherAjaramar Active Assort
Publication Year2014
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy