SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્વ. અથ શ્રી નવ તત્વ. વિવેકી સમદષ્ટિ જીવને નવ પદાર્થ જેવા છે તેવા તથારૂપ બુદ્ધિ પ્રમાણે ગુરૂ આમન્યાથી ધારવા. તે– - નવ તત્ત્વનાં નામ કહે છે. ૧. જીવતાવ, ૨. અજીવતરવ, ૩. પુણ્યતત્ત્વ, ૪, પાપતત્વ, પ આશ્રવતત્વ, ૬, સંવરતત્વ, ૭. નિર્જરાતત્વ, ૮. બંધતત્વ, ૯. મેક્ષત. વ્યવહાર કરી જે શુભાશુભ કર્મોને ર્તા હર્તા તથા ભેક્તા છે. અને નિશ્ચય ન કરી જ્ઞાન, દશન તથા ચારિત્રરૂપ નિજ ગુણેનેજ કર્તા તથા ભક્તા છે અથવા દુઃખ સુખ જ્ઞાનપયોગ લક્ષણવંત ચેતના સહિત હેય તથા પ્રાણ ધારણ કરે તેને પ્રથમ જીવતત્વ કહીયે; તેથી વિપરીત જે ચેતનારહિત, જડવભાવવાળે હોય તેને બીજું અજીવતત્વ કહીયે; જેણે કરી શુભ કામનાં પુણ્યને સંચય થવાથી સુખને અનુભવ થાય છે. તેને ત્રીજું પુણ્યતત્વ કહીયે; તેથી વિપરીત જેણે કરી અશુભ કર્મનાં પાપના સંચય થવાથી દુ:ખને અનુભવ થાય છે તેને ચોથું પાપ કહીયે; જેણે કરી નવાં કર્મ બંધાય છે, અશુભ કર્મોપાદાન હેતુ હિંસાદિક તેને પાંચમું આશ્રવતત્વ કહીયે; જેણે કરી આવતાં કમ કાય અર્થાત પાંચ સુમતિ અને ત્રણ ગુપ્તિ તેણે કરી જે આશ્રવ રેધ કરે તેને છઠું સંવરતત્વ કહીયે જેણે કરી આત્મપ્રદેશમાંથી દેશથકી કમ જુદા થાય છે. અથવા પૂર્વે કરેલાં કર્મો જે ક્ષય થાય છે એટલે તપ પ્રમુખે કરી કર્મોનું પચાવવું (નિર્જરવું) થાય છે તેને સાતમું નિર્જરાતત્વ કહીયે; જે નવાં કર્મોનું ગ્રહણ કરીને તેની સાથે જીવનું બંધન થવું, ક્ષીર નીરની પેઠે મળી જવું તેને આઠમું બંધતત્વ કહીયે; અને જે આત્મપ્રદેશથકી સર્વથા કર્મોને ક્ષય થવે તેને નવમું મોક્ષતત્વ કહીયે. એ નવ તત્વરૂપ વસ્તુનું * ૧ જેમ ગોળને ગુણ મીઠાશ તેમ જીવને ગુણ ચૈતન્ય, જેમ ગોળને • મીઠાશ એક તેમ જીવને ચૈતન્ય એક.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy