________________
અથ શ્રી ચાવીશ જિનાંતરે.
અથ શ્રી ચાવીશ જિનાંતરાં.
૧ અઢાર કડાકોડ સાગરને આંતરે પહેલા શ્રી આદિનાથ તીર્થકર વનીતા નગરીને વિષે થયા. નાભિરાજા પિતા, મરૂદેવી રાણી માતા, હેમવર્ણ, વૃષભ લંછન, પાંચસે ધનુષ દેહિમાન,
રાશી લાખ પૂર્વનું આયુષ, વીશ લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, સઠ લાખ પૂર્વ રાજ્ય પાયું, એક લાખ પૂર્વની પ્રવર્યા પાળી, પ્રવર્યા લીધા પછી એક હજાર વર્ષે કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવીકારૂપ ચતુર્વિધ સંઘ તીથ સ્થાપીને દ્વાદશાંગી ગણિની પટી આપીને, ત્રીજા આરાના ત્રણ વર્ષને સાડા આઠ મહિના બાકી રહ્યા ત્યારે મહા વદ તેરશને દહાડે દશ હજાર સાધુ સંઘાતે સ્વામી નિર્વાણ-મેક્ષ પધાર્યા.
૨. પહેલા શ્રી આદિનાથ તીર્થકર નિવણ-મક્ષ પહોંચ્યા પછી પચાસ લાખ કોડ સાગરને આંતરે બીજા અજિતનાથ તીર્થકર અયોધ્યા નગરીને વિષે થયા. જિતશત્રુ રાજા પિતા, વિજયાદેવી રાણુ માતા, હેમવર્ણ, ગજ કહેતાં હસ્તિનું લંછન, સાડા ચારસે ધનુષનું દેહિમાન, બહોતેર લાખ પૂર્વનું આયુષ, અઢાર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ત્રેપન લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વની પ્રવર્યા પાળી, પ્રવર્યા લીધા પછી બાર વર્ષ કેવળજ્ઞાન ઉપન્યું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ-તીર્થ સ્થાપીને, દ્વાદશાંગી ગણુની પેટી આપીને એક હજાર સાધુ સંઘાતે નિર્વાણ-મક્ષ પધાર્યા,
૩. બીજા અજિતનાથ તીર્થકર મોક્ષ પહોંચ્યા પછી ત્રીશ લાખ છોડ સાગરને આંતરે ત્રીજા સંભવનાથ તીર્થકર સાથ્થી નગરીને વિષે થયા, જિતાથ રાજા પિતા, સૈન્યારી રાણી માતા, હમવર્ણ, અશ્વ કહેતાં દેહાનું લંછન, ચારસે ધનુષનું દેહિમાન, સાઠ લાખ પૂર્વનું આયુષ, પંદર લાખ પૂર્વ કુંવરપણે રહ્યા, ચુમ્માલીશ. લાખ પૂર્વ રાજ પાળ્યું, એક લાખ પૂર્વ પ્રવર્યા પાળી. પ્રવર્યા લીધા પછી ચઉદ વર્ષે કેવળજ્ઞાન ઉપન્યુ-સાધુ, સાવી, શ્રાવક, શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘ તીર્થ સ્થાપીને હાશાંગી