SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી નવ તત્વ, લાગેલા દોષ ગુરૂ આગળ પ્રકાશ કરી તેની આલોયણું લેવી. ૨ વિનય–ગુરૂઆદિકની ભક્તિ કરવી તથા આશાતના ટાળવી, ૩ વૈયાવચ્ચ–અન, પાણી, વિન્સ તથા ઔષધ પ્રમુખે કરી યથાયોગ્ય સેવા-ભક્તિ કરવી. ૪ સક્ઝાય—૧ પિતાને ભણવું, શિષ્યાદિકને ભણાવવું તથા વાંચવું. ૨ સંદેહ પડવાથી ગુર્નાદિકને પુછવું. ૩ શિખેલું ફરી સંભારવું. ૪ ધારેલું ચિંતવન કરવું, ૫ ધર્મસંબંધી કથા કહેવી તથા ઉપદેશ કરે એ પાંચ ભેદ. ૫ ધ્યાન–આર્તા, રૌદ્ર, એ બે થાન ટાળી ધર્મ અને શુકલ એ બે ધ્યાનથી મનની એકાગ્રતાએ અવલંબન કરવું. ૬ કાઉસગ્ગ–કાયા હલાવવી નહિ, તે કાઉસગ્ગ દ્રવ્ય તથા ભાવે એ બે ભેદ છે. એ છ ભેદને સમ્યકદષ્ટિ જીવ તપ કરી માને એમ બાર પ્રકારના તપે કરી નિજ રાતત્વ કહ્ય, ઇતિ, ૮ બંધતત્વ, આત્માના પ્રદેશને કર્મ પુદગળને દળ ખીર નીરની પેઠે, લેહુપિંડ અગ્નિની પેઠે લોલીભૂત થઇ બંધાય તેને બંધતત્વ કહીએ. બંધતત્વના ચાર ભેદ કહે છે. ૧ પ્રકૃતિબંધ-કમને સ્વભાવ તથા પરિણામ. ૨ સ્થિતિબંધ-જે કર્મની જેટલી સ્થિતિ છે તે, ૩ અનુભાગબંધકમને તીવ્ર મંદાદિ રસ પરિણામરૂપ, ૪ પ્રદેશ બંધ–કમપુદગળના પ્રદેશ. ચાર પ્રકારને બંધ મદકને દષ્ટાંતે કહે છે. ૧ પ્રકૃતિ બંધ. સુંઠ પ્રમુખ પદાર્થ નાખી મોદક કર્યો હોય તે વાયુ રોગનું હરણ કરે છે. જીરૂ પ્રમુખ ટાઢી વસ્તુ નાખી માદક કર્યો હોય તે પિત્તરેગનું હરણ કરે છે, ઈત્યાદિક જે દ્રવ્યના સંગે કરી તે માદક નીપને હેય તે દ્રવ્યના ગુણાનુસાર તે મોદક વાત, પિત્ત તથા કાદિક રેમનું હરણ કરે છે તે તેને સ્વભાવ જાણો. તેમ જ્ઞાનાવરણીય કર્મને જ્ઞાન અપહારક સ્વભાવ છે, સામાન્ય ઉપ ગરૂપ જે દશન તેને નાશ કરવાને દશનાવરણીય કર્મને સ્વભાવ છે, અનંત અવ્યાબાધ સુખને ટાળવાને વેદનીય કમને ૧૩.
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy