SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવી છે તે જ સમજી શકે અન્ય તો હજી તર્કમાં છે કે પ્રભુ જેવું કંઈ હશે કે નહિ ? ખોટો ભ્રમ છે ? ભાઈ, પ્રભુપ્રીતિને માણી છે તેઓ જ આ સમજી શકે, માણી શકે, તારી વિચાર શક્તિ કે ચિંતન શક્તિનું આ કામ નથી. શ્રદ્ધા અને પ્રીતિની પરાકાષ્ઠા છે. તે જ માણી શકે. વાણીનો વિષય નથી વાતો કરે ઈશ્વર, પ્રભુ, પરમાત્મા, ગુરુ જેવું કંઈ છે નહિ. એ ભ્રમ છે. એને પલ્લે આવું અનુપમ તત્ત્વ કયાં પડવાનું છે ? વા ખાઈને પેટ ભરશે ? પ્રભુ સુધી પહોંચાડનાર સદ્ગુરુ છે, પહેલા તેમને શોધ તો તારી બધી મૂંઝવણ ટળી જશે. ગુરુ તત્ત્વ વિશ્વ વ્યાપક છે તારી ભાવના હશે તો મળી જશે. ૩૬. વિદ્યા વિનયથી વિકસે એક જંગલમાં શસ્ત્રવિદ્યા શિક્ષણનો એક આશ્રમ હતો. ત્યાં અનેક રાજકુમારો અને અન્ય વિદ્યાર્થીઓ આવતા. એક રાજકુમાર ખૂબ નિપુણ હતો. ઘણી શસ્ત્ર વિદ્યા શીખ્યો હતો. તેને નંબર એક થવું હતું. બધા વિદ્યાર્થીઓમાં નંબર એક હતો. પણ ગુરુ કરતાં પછીનું સ્થાન હતું. રાજકુમાર હતો, શસ્ત્રવિદ્યામં સૌથી પ્રથમ હતો, સાથે અહંકાર પુષ્ટ થયો. એને થયું કે ગુરુ હશે ત્યાં સુધી નંબર ૧ નહી આવે. આવા અહંકારમાં કુબુદ્ધિ સૂઝી, પ્રથમ થવા માટે ગુરુને જ ખતમ કરવાનું તેણે વિચારી લીધું. એક દિવસ સવારે ગુરુ નદીએ સ્નાન કરવા ગયા ત્યાં એક વૃક્ષ પાછળ છૂપાઈ ગયો. ગુરુને આવતાં જોયા, તીર છોડયું. તીર ગુરુની છાતી લગોલગ આવ્યું. ગુરુએ તીર સામે આંગળી કરી. તીર પાછું વળ્યું જો રાજકુમાર બરાબર ખસી ગયો ન હોત તો વીંધાઈ જાત. ગુરુ તો એજ સૌમ્યતાયુક્ત હતા. આમ છતાં ગુરુને પૂછ્યું : ‘તમે મને આ વિદ્યા કેમ શીખવી નહિ ?’ ગુરુ કહે તારી પાત્રતા તેં જ પૂરવાર કરી, છતાં તારે આગળની સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૬૫
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy