SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ના ગયા, મારે સંપત્તિ સાથે લઈ જવી છે. મુનીમ કહે ભાઈ એક કોડી પણ સાથે લઈ જઈ શકાતી નથી. સુમેદ ખૂબ વિચારશીલ હતો. તેણે તરતજ ઉપાય શોધી કાઢયો. સઘળી સંપત્તિને અનેક પ્રકારે દાનમાં આપી દીધી. પોતે પણ સંયમ માર્ગે વળી ગયો. સઘળી સંપત્તિ ભોગને બદલે દાનમાં વાપરી પુણ્ય બેંકમાં જમા કરાવી. દેહને પણ સંયમ માર્ગે વાળ્યો. આમ સુમેરે તન, મન, ધનનો સદ્ઉપયોગ કરી ઉત્તરોત્તર ચેતનાને શુદ્ધ માર્ગે વાળી મુક્ત થયો. ૩૪. અસ્તિત્વનો ભ્રમ! પુણ્યયોગથી પૂર્વે અનંતવાર મનુષ્યજન્મ લીધો પણ કંઈ સફળપણું થતું જણાયું નહિ. આમ તો જીવે ગુરુજનોનો સંપર્ક કર્યો, શાસ્ત્રબોધનું શ્રવણ કર્યું અને સ્વયં પ્રવચનો આપતો થયો. પરંતુ કયારેય અસ્તિત્ત્વને જાયું નહિ. પોતાના શબ્દાત્મક બોધ વડે અન્યને પ્રભાવિત કરીને ખુશ થાય. ભાઈ તારો જ ઉપયોગ હજી શુદ્ધ અસ્તિત્ત્વને આવ્યો નથી. બીજાને ખુશ કરીને શું મળશે? તારી ચિંતનાત્મક શક્તિ પણ મનોહર હશે. તારું જ્ઞાન પરિણત અર્થાત્ અનુભૂતિયુક્ત હોવું જોઈએ. જેમ ધનવાન સર્વ સંપત્તિ મૂકીને જાય છે. કેવળ કર્મનો સંપૂટ સાથે હોય છે. તેમ અસ્તિત્ત્વના અનુભવ વિહોણું જીવન પણ ખાલી હાથે વિદાય થાય છે. તારું ઠેકાણું પડયું નથી ત્યાં બીજાને ઠેકાણે કરવા ક્યાં નીકળ્યો? છગનભાઈ કુંભમેળામાં પહોંચ્યા. તેમને એમ કે પોતે આટલા સેવાકાર્યો કર્યા છે એટલે કોઈ પરિચિત મળી જશે, સાંજ સુધી કંઈ ઠેકાણું પડયું નહિ. નદીને કિનારે બિસ્તરો મૂકી બેઠા છે. થોડીવાર પછી ગામના પરિચિત રમણલાલ નીકળ્યા. રમણભાઈ નજીક આવ્યા. તેમનું કંઈ ઠેકાણું પડ્યું ન હતું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૬૩
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy