SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ એ જ થાળ લઈ તે સિંહની ત્રાડની દિશામાં સામે ગયા, માથે પ્રભુ રક્ષક છે ભય શાનો ? પ્રભુ જ આ વેશે આવ્યા છે. રાણી આગળ વધે છે. સિંહ સામેથી આવે છે. પધારો પ્રભુ આ વેશે ભલે પધાર્યા, રાણી તો મનમાં ભાવના કરતા પ્રભુગીત ગાતા આગળ વધતા હતા. રાણીનું ભાવ પૂર્ણ પ્રભુગીત ગુંજારવ સાંભળી ધસમસતો સિંહ ધીમો પડયો, રાણીની સાવ નજીક આવ્યો, જે હાજર હતા તેમની તો આંખ બંધ થઈ ગઈ કે શુ થશે ? પણ આ શું ? સિંહ પગ વાળીને રાણીના પગ પાસે નમન કરીને બેસી ગયો. રાણીએ તેના કપાળમાં તિલક કર્યું અને થાળ તેના મુખ પાસે ધરી દીધો. પ્રભુ આ વેશે પધાર્યા છો સ્વાગત છે. સર્વાત્મમાં સમદૃષ્ટિ-પ્રભુદૃષ્ટિ ધન્ય છે. આ ભાવનાને ! સિંહ આ સ્વાગતનો સ્વીકાર કરી ધીમે પગલે ચાલ્યો ગયો, જનતાને લાગ્યું કે આ સ્વપ્ન તો નથી ને ? રાણી તો એ જ મસ્તીમાં અંતરમાં આરતી કરવામાં મસ્ત બની ગયા. રાજા તો ગભરાટને કારણે મેદાનમાં ગયા જ ન હતા. પણ ખવાસે બધી હકીકત જણાવી. રાજાના ભાવમાં ચમકારો થયો. રાણીની ભક્તિની પવિત્રતા સમજ્યા અને દોડયા. રાણીના પગમાં પડયા. રાણીએ જણાવ્યું કે સર્વનો કર્તા ભગવાનની કૃપા પ્રસાદ છે. તેમને નમો. નમસ્કાર સાથે માનસિંહનું બધું જ માન ગળી ગયું અને તે પણ રાણી સાથે ભક્ત બન્યો. સારાંશ : આવી કથાઓ વાંચવા સાંભળવામાં આવે ત્યારે કથાને માણવી. હૃદયને ભીંજવવું, કથા ગુજરાત સમાચારના હેવાલ નથી. પરમાત્માની શક્તિનો સ્રોત છે. તેનાં માનવ ભીંજાય નહિ તો પોતાનો જન્મ ગુમાવી રહ્યો છે. આ કેવળ કથાઓ નથી સત્ય ઘટના છે જીવનના સુકાયેલા સ્રોતને વહેતા કરવાની ક્ષમતા ધરાવે છે, કથાનું રહસ્ય શ્રદ્ધામાં પ્રજળવું જોઈએ. એ કાળમાં ભગવાને પ્રહલાદની એક કથા પ્રમાણે નૃસિંહનું રૂપ સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૨૫
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy