SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ વખતે સમ્મત કરત પણ જગતની મોહિની સંમત થતી નથી.” કયારે છૂટીએ તેના જાપ કરીએ છીએ. તેના અનુસંધાનમાં ભાવના કરી પદ રચના કરી છે : અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જા. સર્વ સંબંધનું બંધન તીર્ણ છેદીને વિચરશ કવ મહતુ પુરુષને પંથજે. વચનામૃતનો કંઈક પરિચય. “અનંતકાળથી જે જ્ઞાન ભવહેતુરૂપ થતું હતું તે જ્ઞાનને એક સમયમાત્રમાં જાત્યાંતર કરી જેણે ભવનિવૃત્તિરૂપ કર્યું તે કલ્યાણમૂર્તિ સમ્યગુદર્શનને નમસ્કાર.” “શ્રી સદગુરુએ કહ્યો છે તેવા નિગ્રંથમાર્ગનો સદાય આશ્રય રહો.” હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારા નથી. શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગદ્વેષનો ક્ષય થાય. સર્વ કરતા વીતરાગના વચનને સંપૂર્ણ પ્રતીતિનું સ્થાન કહેવું ઘટે. કેમકે જ્યાં રાગાદિ દોષનો સંપૂર્ણ ક્ષય હોય ત્યાં સંપૂર્ણ જ્ઞાન સ્વભાવ પ્રગટવા યોગ્ય નિયમ ઘટે છે. તેઓ જૈન સમાજના અમુક ક્ષેત્રે સગુરુના સ્થાને છે. તેમના સ્થાનો વિસ્તરતા જાય છે. દુઃખદવાત એ છે કે આવા જ્ઞાનીજનોની ભગવાનને જરૂર પડી કે શું? ફકત ચોત્રીસ વર્ષની વયે તેમનો દેહ વિલય થયો હતો. ધન્ય તે જીવનધારા. આ છે. ઉત્તમ આરાધક શ્રી ગોકુળભાઈ શ્રી ગોકુળભાઈ બાળ બ્રહ્મચારી અને સત્ત્વશાળી, તત્ત્વનિપૂણ આરાધક છે. તેઓ મૂળ માંડલગામના વતની. જન્મનું નામ હિંમતલાલ હતું. સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૨ ૧
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy