SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ઝેરને પણ અમૃત કરવાની ફરજ પ્રભુને પડી, ધન્ય ધન્ય એ ઘડી. જે ઘડી માટે મીરાંબાઈને મુસીબત નડી. સજ્જનો મીરાંની ભક્તિ સમજવા, માણવા તો મીરાં જ થવું પડે. સર્વ જગ ખારૂ લાગે ! રાજમહેલ રૂડા ન લાગે ? ભક્તિમાં મીરાંની પવિત્ર શક્તિ જ દર્શિત થાય છે. મીરાં આનંદધનજીના સમકાલીન હતા. બંનેમાં ભક્તિની મહાનતા હતી. . ૯૪. સન્મિત્ર જ્યોતિબાળા બહેન સંસારના સૌ પ્રાણીઓ સન્મિત્ર મુજ વહાલાહ હજો. સગુણમાં આનંદ માન મિત્ર કે વેરી હજો. દુઃખીયા પ્રતિ કરૂણા અને દુશ્મન પ્રતિમધ્યસ્થતા શુભ ભાવના પ્રભુ ચાર આ પામો હૃદયમાં સ્થિરતા. - શ્રી અમિતગતિ સામાયિક સંસાર એટલે સુખ દુઃખનો સરવાળો કદી બાદબાકી. એવા અટપટા જીવનમાં સન્મિત્ર અગત્યનું અંગ છે. સુખમાં સન્માર્ગ બતાવે. દુઃખમાં યોગ્ય દિલાસો આપે સહાય કરે. સામાન્ય મિત્રતા અને સન્મિત્રમાં કંઈક અંતર પડે છે. સન્મિત્ર આત્મકલ્યાણ વાળું છે અને અન્યને પણ એજ રાહ બતાવે. એવા સન્મિત્ર હતા જ્યોતિબહેન. મારું અને બહેનનું જન્મસ્થળ એક જ નાગજીભૂદરની પોળ. પરંતુ વયના અંતરને કારણે ત્યારે મિત્રતા થઈ ન હતી. જ્યોતિબહેન સાદાઈને વરેલા, શ્રીમંત કુટુંબની પુત્રી પણ ખાદીધારી એટલે અન્ય રીતે પણ જીવનની જરૂરિયાત ઓછી, ઉદાર દીલ, ઉપકારક વૃત્તિ, જીવદયા એ એમના જીવનનું અંગ હતું. તેઓના લગ્ન શ્રીમદ્ રાજચંદ્રના ભક્ત કુટુંબમાં થયા હતા. પોતે દહેરાવાસી સંસ્કારના હતા. પરંતુ શ્રીમદ્ રાજચંદ્રના વચનામૃતથી અને સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો ૧ ૭૨
SR No.023250
Book TitleSattvashil Tattvamay Prasango
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSwadhyay Satsang Parivar
Publication Year2018
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy