________________
લાભ લીધેલો નહિ પણ અલ્પ મળેલો લાભ મારા સ્મરણમાં અંક્તિ થયો હતો તેની સ્મૃતિ થઈ.
તેમને સ્યાદ્વાદ મંજરી (કથંચિત) જેવા ગ્રંથોનું નિર્માણ કરેલું પણ મારી જાણ પ્રમાણે તેમના તેવા ઉત્તમ ને આવકાર વેગ મળ્યો ન હતો.
મેં લગભગ વીસેક વર્ષ પહેલા જૈન સૈદ્ધાંતિક શબ્દ કોષ લખેલો, તેને સારી રીતે સંશોધન કરી આપે તે માટે આચાર્ય ભગવંતોને મળી પણ કોઈને એવો અવકાશ ન હતો તે માટે પૂરતી તૈયારી ન હતી.
પણ કોઈ આચાર્યશ્રીએ મને પૂ. શ્રી સુલોચનાશ્રીજીનું નામ સૂચવ્યું. હું મારા લખાણનો થોકડો લઈને પાલીતાણા તેમની પાસે પહોંચી. ઘણા વ્યસ્ત હતા. પણ સઉલ્લાસ મને પૂરતો સમય આપ્યો, અને શબ્દકોષનું સંશોધન સહેજે સ્વીકાર્યું. મારા આશ્ચર્ય વચ્ચે ઘણા વ્યસ્ત હોવા છતાં પંદર દિવસે સંશોધન કરીએ આપ્યું. આજે તેઓની ઉપસ્થિતિ નથી પણ આ પ્રસંગ યાદ આવે છે ત્યારે મન તેમના પ્રત્યે ઝૂકે છે. તેમણે વિદ્વતાને નમ્રતાને અને પ્રેમતત્ત્વ સાથે જીવનમાં ગુંથી લીધા
હતા.
સાંભળેલું કે તેમના સમયે તેમણે ઘણી મુશ્કેલીથી પ્રવજ્યા ગ્રહણ કરી હતી. કેટલા દિવસો તો છૂપા રહ્યા. ક્ષુધા, તૃષા વેઠયા પણ સંસાર ભણી પીઠ કરી તે ઉજવળ રીતે નીભાવી. સમાજે તેમની શક્તિનો લાભ પૂરતો લીધો નથી તેવું લાગે છે.
કાળના પ્રવાહ સાથે બધું બદલાતું રહે છે. આજે તો સમાજમાં શ્રમણીઓની વિદ્વતા અને શક્તિને ઘણો અવકાશ મળે છે.
શ્રી રમ્યરેણુ શ્રમણજીએ તો સમાજને કર્મગ્રંથ જેવા કઠિન ગ્રંથો ભેટ ધર્યા છે. મહાયશા જેવા વિદ્વાન શ્રમણીનું પણ ઘણું પ્રદાન છે. તત્ત્વજ્ઞાનને સહજપણે સમજાવતા પૂ. શ્રી નંદિયશાજી અને અન્ય શ્રમણીઓનો સમાજને ઘણો લાભ મળે છે.
પૂ. શ્રી પ્રશ્મિતાશ્રીજીનું તો આ ક્ષેત્રે ઘણું પ્રદાન છે. તેમની નિશ્રામાં ઘણી શ્રમણીઓ જીવનને ધન્ય બનાવી રહ્યા છે. કાળે પડખુ બદલ્યું છે ને ? એટલે શ્રમણીજીઓએ સંયમ અને જ્ઞાનક્ષેત્રે વિકાસે ફાળ ભરી છે.
સત્ત્વશીલ-તત્ત્વમય પ્રસંગો
૧૬૪